Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના ફૂટવેરના વેપારીઓએ જીએસટી વધારાનો વિરોધ કરી મામલતદારને આવેદન પાઠવ્યું.

Share

સરકાર દ્વારા ફૂટવેર માલસામાન ઉપર 12% GST કરવામાં આવ્યું છે. હાલ સમગ્ર દેશ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે.  ત્યારે ફૂટવેરમાં સરકાર દ્વારા 12% GST કરી દેવામાં આવતાં ફૂટવેર મોંઘા થવા પામ્યા છે. જે ગ્રાહક અને વેપારીને પોસાય તેમ નથી એમ વેપારીઓ જણાવી રહ્યા છે.  ટેક્ષટાઇલ ધંધામાં 5% GST રાખવામાં આવ્યો છે. તેવી જ રીતે ફૂટવેર ધંધામાં પણ GST 5 % રાખવાની માંગણી સાથેનું આવેદનપત્ર કરજણ મામલતદારને આપી સરકાર સુધી પોતાની વ્યથા પહોંચાડવાની વિનંતી નગરના ફૂટવેરના વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી. જે  બાબતે નગરની તમામ ફૂટવેરની દુકાનો વેપારીઓ દ્વારા આજના દિવસ માટે બંધ રાખવામાં આવી હતી. મોટી સંખ્યામાં ફૂટવેરના વેપારીઓ એકત્રિત થઈ આવેદનપત્ર આપ્યું હતું.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝઘડિયાના ફૂલવાડી ગામ નજીક મીઠું ભરેલ ટ્રક પલ્ટી મારતા અફરાતફરી સર્જાઈ.

ProudOfGujarat

ઝઘડિયા : રાજપારડી વાહનચોર ટોળકીના છ આરોપીઓ ઝડપાતા મોટરસાયકલ ચોરીનું કૌભાંડ પકડાયુ.

ProudOfGujarat

આમોદ માં પી.એમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની કરાઇ ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!