Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ નગરપાલિકા દ્વારા સરકારી કચેરીઓ સેનેટાઈઝર કરવામાં આવી.

Share

કોરોના વાઇરસે હાલમાં સમગ્ર વિશ્વને અજગરી ભરડો લીધો છે ત્યારે કોરાનાને લઈ સમગ્ર ગુજરાત સહિત દેશ સતર્ક છે અને હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ તંત્રની સાથે આરોગ્ય કર્મચારીઓ,સરપંચો,તલાટીઓ, પણ એલર્ટ જોવાં મળી રહ્યા છે.પોતાનાં ગામ સુધી આ વાયરસને આવતો અટકાવવા પગલાં લઈ રહ્યા છે. ત્યારે કરજણ નગરપાલિકા ચીફ અધિકારી અને પ્રમુખના અથાર્ગ પ્રયત્નોથી કરજણની તમામ મહત્વની સરકારી કચેરીઓમાં તા.૨૦ મી ને સોમવારનાં રોજ સેનેટાઈઝર છંટકાવ કરવામાં આવ્યો હતો.

નગરપાલિકા,તાલુકા પંચાયત,પોલીસ સ્ટેશન,મામલતદાર કચેરી,સિવિલ કોર્ટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ વગેરે કચેરીઓમાં સેનેટાઈઝનો છંટકાવ કરવામાં આવ્યો. કરજણ નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરે કોરોના વાયરસને લઈ જાગૃત રહેવા સૌ નાગરિકોને પોતાનાં ઘરમાં રહો સુરક્ષિત રહોની અપીલ કરી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચમાં 1 વર્ષ પહેલા તડીપાર થયેલો યુવાન ફરી ભરૂચ માં આવતા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

કચ્છ યુનિવર્સીટીમા આગામી સેનેટની ચુંટણીને લઇને ABVPનો વિરોધ-કુલપતિના ધેરાવ સાથે ચુંટણી પ્રક્રિયા કરનાર પ્રોફેસરનુ મોઢુ કાળુ કર્યુ….

ProudOfGujarat

ભરુચનાં ગોડીજી પાર્શ્વનાથ જિનાલય ખાતે જૈનાચાર્ય શ્રીમદ્વિજય રત્નસુંદર મહારાજ એ પ્રવચન કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!