Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા સ્થિત સરદાર સરોવર ડેમ પર કામ કરતા કામદારનું પડી જતા સારવાર દરમિયાન મોત.

Share

નર્મદા જિલ્લાના કેવડિયા તરફ નર્મદા બંધ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ હરણફાળ વિકાસ જરૂર થઈ રહ્યો છે પરંતુ ત્યાં કામ કરતા કર્મચારીઓની સેફટી બાબતે તંત્ર તદ્દન લાપરવાહ હોય એમ લાગી રહ્યું છે. જેના કારણે અવારનવાર અકસ્માતોમાં મોત થતા જોવા મળે છે. સરદાર સરોવર ડેમ ઉપર કામ કરી રહેલા વિજયકુમાર રામધની બીંદ (ઉં.વ. ૩૦) રહે.બીટી તા.જી, અલ્હાબાદ (યુ.પી) ગત તારીખ ૧૫ ફેબ્રુઆરીએ કામ કરતા અચાનક પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેથી તેને પ્રાથમિક સારવાર માટે ગરૂડેશ્વર ખાતે દાખલ કર્યા બાદ વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરતાં ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કરતા કેવડિયા પોલીસે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ ઝાડેશ્વર ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા એક ટ્રક ચાલકના કંડકટરને માર મારવામાં આવ્યો હતો.

ProudOfGujarat

કરજણ તાલુકાની શાહ એન બી હાઇસ્કુલમાં શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય

ProudOfGujarat

ભરૂચમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા બહેનો માટે ઉભા ભજનની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!