Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવના મામા ફળિયામાં દીપડા એ ચાર બકરીનો શિકાર કરતાં પશુપાલકો ચિંતિત

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના મામા ફળિયામાં દીપડાએ રાત્રિ દરમિયાન વધુ ચાર બકરીનો શિકાર કર્યો છે. બે દિવસ પહેલા ઝંખવાવ ગામના મામા ફળિયામાં રહેતા ઈમ્તિયાઝ યુસુફ શેખની માલિકીના ચાર બકરા અને એક પાડીનો દિપડાએ શિકાર કર્યો હતો ત્યારબાદ ગત રાત્રી દરમિયાન ઝંખવાવ ગામના મામા ફળિયામાં રહેતા પશુપાલક મહેરુમ ઠુંંડીયાની માલિકીની ચાર જેટલી બકરીઓનો દીપડાએ રહેણાંક વિસ્તારમાં આવી શિકાર કર્યો હતો. છેલ્લા ચાર દિવસમાં પશુઓના શિકાર કરવાની આ બીજી ઘટના બનતા પશુપાલકો ચિંતિત બન્યા છે. આ ઘટનાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગના જવાબદાર અધિકારીઓએ સ્થળ પર આવી પશુપાલકને થયેલા નુકસાન અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

શહેરા તાલુકાના ભેસાલ ગામે નાણાની રીકવરી કરી પરત આવતા તામિલનાડુ યુવાનોને બે ઈસમે ચપ્પુ બતાવી લુંટ કરતા ચકચાર : ભાગવા જતા એકને ઝડપી પાડયો જ્યારે એક ફરાર શહેરા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

ProudOfGujarat

ઉનાળુ પાકમાં ખેડૂતોને નુકસાન ન જાય તે માટે પૂરતું પાણી આપવા વડોદરા અને છોટાઉદેપુરના ધારાસભ્યની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

ચેક રિર્ટન કેસમાં આરોપીને સજા ફટકારતી ભરૂચ કોર્ટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!