Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવના મામા ફળિયામાં દીપડા એ ચાર બકરીનો શિકાર કરતાં પશુપાલકો ચિંતિત

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના મામા ફળિયામાં દીપડાએ રાત્રિ દરમિયાન વધુ ચાર બકરીનો શિકાર કર્યો છે. બે દિવસ પહેલા ઝંખવાવ ગામના મામા ફળિયામાં રહેતા ઈમ્તિયાઝ યુસુફ શેખની માલિકીના ચાર બકરા અને એક પાડીનો દિપડાએ શિકાર કર્યો હતો ત્યારબાદ ગત રાત્રી દરમિયાન ઝંખવાવ ગામના મામા ફળિયામાં રહેતા પશુપાલક મહેરુમ ઠુંંડીયાની માલિકીની ચાર જેટલી બકરીઓનો દીપડાએ રહેણાંક વિસ્તારમાં આવી શિકાર કર્યો હતો. છેલ્લા ચાર દિવસમાં પશુઓના શિકાર કરવાની આ બીજી ઘટના બનતા પશુપાલકો ચિંતિત બન્યા છે. આ ઘટનાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગના જવાબદાર અધિકારીઓએ સ્થળ પર આવી પશુપાલકને થયેલા નુકસાન અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સીની ડેક ઇન્ડિયા કંપનીમાંથી 6.51 લાખના મશીનરીના સમાનની ચોરીમાં સંડોવાયેલ સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો

ProudOfGujarat

પંચમહાલ LCBની ટીમે ટાટાસુમો ગાડીમાં કતલખાને લઇ જવાતા પાંચ ગૌવંશને બચાવ્યા. એક ઇસમની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે અંકલેશ્વરમાંથી નકલી તબીબની કરી ધરપકડ : ડીગ્રી વગર લોકોને આપતો હતો સારવાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!