Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે રામજી મંદિરે રામનવમી પર્વની ઉજવણી કરાઈ

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે રામજી મંદિરે રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી. પૂજા અર્ચના મહા આરતી કરવામાં આવી. માંગરોળ ના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા શોભા યાત્રામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશભાઈ સુરતી તથા ઉમેદભાઈ ચૌધરીના નેજાહેઠળ રામનવમી પર્વની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આ શોભાયાત્રા રામજી મંદિર થી નીકળી હનુમાનજી મંદિર સુધી કાઢવામાં આવી હતી.મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો વેપારી મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સાંજે મહા આરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઝંખવાવ ગામના યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરીયા: વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની ખરોડ ચોકડી માટે રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની રજૂઆતને મંજૂરી.

ProudOfGujarat

લીંબડી દાવલસા શેરીમાં એક મહિલાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

લ્યો બોલો, અંકલેશ્વરમાં કરિયાણાની દુકાનમાં દારૂનું વેચાણ કરતો બુટલેગર હજારોના મુદ્દામાલ સાથે પોલીસનાં હાથે ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!