Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના આમનડેરા ગામે અમદાવાદના યુવકનું નદીમાં ડૂબી જતા મોત

Share

માંગરોળ તાલુકાના આમનડેરા ગામે મામાને ત્યાં આવેલા અમદાવાદના યુવકનું નદીમાં પગ લપસી જતા ઉંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં ગેરેજનું કામ કરતો 18 વર્ષીય સાહિલ શહીદ શેખ માંગરોળના અમન ડેરા ખાતે પોતાના મામાને ત્યાં ફરવા માટે આવ્યો હતો. આમનડેરા ગામની સીમમાં ભૂખી નદી અને કીમ નદીના સંગમ પર ભૂલથી પગ લપસી જતા ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો ત્યારે પરિવારજનોને આ અંગેની જાણ થતા તાત્કાલિક તેઓએ પ્રશાસનને જાણ કરી હતી. માંગરોળ પોલિસ અને મામલતદારે આ ઘટનાની ગંભીરતા જાણી તાત્કાલિક એનડીઆરએફ ની ટીમ બોલાવી રેસ્ક્યુ કરી લાશ શોધી કાઢી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ સહિતની કાર્યવાહી શરૂ કરી હતી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ઇન્ડસ્ટ્રીયલ એક્સપ્રોના પ્રોગ્રામને રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ઉમરપાડાની શરદા ગૃપ ગ્રામ પંચાયતનું વિભાજન થતાં ચંદ્રપાડા નવી ગ્રુપ ગ્રામ પંચાયત બનશે.

ProudOfGujarat

એક તરફ પદ્માવત ફિલ્મ આવતી કાલે રીલીઝ થવાની વાતો ચાલી રહી છે, બીજી તરફ મલ્ટીપ્લેક્ષ થિયેટર વાળા પોતાના થીયેટરમાં ફિલ્મ રીલીઝ કરવાની નાં પાડે છે. કાલે શું થશે ? સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ ફિલ્મ તો કાલે રીલીઝ થશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!