Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ, વેરાકુઈ, માંડળ ગામે શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી.

Share

પાનેશ્વર મહાદેવ અને ગુપ્તેશ્વર મહાદેવ બંને ગામનાં શિવ મંદિરોમાં રાજા રજવાડા દર્શન કરવા માટે આવતા હતા એવી વાત લોકમુખે ચર્ચાય છે. શિવ મંદિરો ભમભમ ભોલે અને ઓમ નમ: શિવાયનાં નાદથી ગુંજી ઉઠ્યા હતા. મહાશિવરાત્રી નિમિતે ભાવિક ભક્તોએ ઘી નાં કમળનાં દર્શન કર્યા હતા. બીલીપત્ર, દૂધ, જળ ચડાવીને ઓમ નમ: શિવાયનાં જાપ કરી આરાધના કરવામાં આવી હતી.

માંગરોળ તાલુકાનાં વાંકલ ભૂખી નદીના કિનારે આવેલ અતિપૌરાણિક પાનેશ્વર મહાદેવમંદિર, અંબાજી માતાજીનાં પટાંગણમાં આવેલ રામેશ્વરમહાદેવ, ગુપ્તેશ્વર અતિ પૌરાણિક મંદિર આવેલું છે. માંડળ ગામે સાંજે 6.00 કલાકે આરતી, ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વેરાકુઈ ખાતે આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિરે સવારે મહાઆરતી અને મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

SRF ફાઉન્ડેશન દ્વારા ભરૂચ અને નેત્રંગ તાલુકાના સરપંચનુ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

હવાઈ ​​પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર ! હવે આ લોકો મુસાફરી કરી શકશે નહીં, DGCAએ જારી કર્યો આદેશ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે ૧૩ ઈ-ટેમ્પા તથા ૨ જેટીંગ મશીનનું લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!