Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વકરી રહેલી કોરોના મહામારીને કાબૂમાં લેવા વાંકલ ગામમાં તા. 21 થી 25 સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરાયું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી કોરોના મહામારીને કાબુમાં લેવા માટે વાંકલ ગામને તારીખ 21 થી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વાંકલ ગ્રામ પંચાયત દ્વારા બહાર પાડવામાં આવેલ વિગત મુજબ વાંકલ અને આસપાસના વિસ્તારમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આ મહામારી સહેલાઇથી કાબૂમાં આવે તેમ નથી જેથી મહામારીને કાબુમાં લેવા માટે સ્વૈચ્છિક રીતે લોક સહયોગથી લોક ડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે. સવારે6 થી 8 દૂધની દુકાનો ખુલ્લી રહેશે, મેડિકલ સ્ટોર સમગ્ર દિવસ દરમિયાન ખુલ્લા રહેશે. ખુલ્લી રહેતી દુકાનો અને મેડિકલ સ્ટોરમાં પ્રોવિઝન અને કરિયાણાની ચીજ વસ્તુઓ વેચી શકશે નહીં આ સિવાયની ગામની તમામ દુકાનો બંધ રહેશે. દુકાન ખુલ્લી રાખશે તેને 10,000/- નો દંડ ફાટકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના સારિંગની સીમમાં આવેલી હઝરત પરદેશી પીર બાવાની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ કરાઈ.

ProudOfGujarat

મૂળનિવાસી એકતા મંચનાં બે વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે કરજણ તાલુકાની ગ્રામ પંચાયત કચેરીઓમાં બાબાસાહેબ આંબેડકરની છબી અર્પણ કરી ઉજવણી કરવામાં આવી…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા ના જાગેશ્વર ગામ માં આવેલ નર્મદામૈયા નીચી તલાઈ ના પૂજારી દયાનંદ ભ્રમચારી સેવાનંદ મહારાજ ની રૂમ માંથી હત્યા કરેલી હાલત માં લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!