Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના ધામડોદ ખાતે આગામી સોમવારે એન.એચ.૪૮ નેશનલ હાઇવે પરનો વાહન વ્યવહાર થોડા સમય માટે ડાયવર્ટ કરાયો.

Share

પ્રોજેકટ ડાયરેકટર, નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામડોદ ખાતે ભરૂચ-સુરત એચ-૪૮, પી.પી.સવાણી યુનિવર્સિટી સામે ફુટ ઓવરબ્રિજનું કામકાજ શરૂ થનાર હોઈ જેથી ટ્રાફિક નિયમન વ્યવસ્થિત થઈ શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તેવા આશયથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામા દ્વારા રૂટને ડાયવર્ટ કર્યો છે.

જાહેરનામા અનુસાર તા.૨૩/૮/૨૦૨૧ ના રોજ સવારના ૧૦.૩૦ થી સાંજના ૪.૩૦ વાગ્યા સુધી માંગરોળ તાલુકાના ધામડોદ ખાતેના ભરૂચ-સુરત NH-48, પી.પી.સવાણી યુનિ. ખાતે વાહનો નેશનલ હાઇવે પરથી કામચલાઉ લાઈન ઉપર પસાર કરવાના રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ-દહેજ બાયપાસની ટ્રાફિક સમસ્યા અંગે ક્રેડાઈ ગાંધીનગર જઈ ડે. સીએમ સાથે ચર્ચા કરશે

ProudOfGujarat

જય માંગલ માં ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તળાજા મા આવેદનપત્ર આપાયુ

ProudOfGujarat

આજે દેશમાં 15 માં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી, જાણો શું હોય છે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!