Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળના દેગડીયા ગામે ગાય, બળદ સહિત ચાર પશુના અચાનક મોત થયા.

Share

માંગરોળ તાલુકાના દેગડીયા ગામે આદિવાસી ખેડુત પશુપાલકના ગાય, બળદ સહિત ચાર પશુઓના અચાનક મોત નિપજતા આદિવાસી પરિવારનો જીવન ગુજારવાનો આધાર છીનવાઈ ગયો હતો.

હાલ સમગ્ર પરિવાર નિરાશામાં ગરકાવ થયો છે, દેગડિયા ગામના આદિવાસી ખેડૂત ધીરુભાઈ વેસ્તાભાઈ ગામીત સામાન્ય ખેતી અને પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરાત્રિ દરમિયાન એક ગાય બે બળદ અને એક વાછરડાના સહિત કુલ ચાર પશુઓના ઘર આંગણે અચાનક મોત નિપજયા હતા. આ ઘટના બનતા આદિવાસી પરિવારના પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તેવો અહેસાસ ખેડૂત અને પરિવારને થયો હતો. કારણ કે બાળકોની જેમ ઉછેરેલા પશુઓના મોત થતા જીવન ગુજારવાનો આધાર છીનવાઈ હતો. ઘરની મહિલાઓના રુદન આક્રંદના કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. પશુઓના મોતનું કારણ ઘાસચારામાં ઝેર ખાવાથી થયું હોવાનું હાલ અનુમાન થઈ રહ્યું છે પરંતુ અન્ય પશુઓએ પણ આજ ઘાસચારો ખાધો હતો. બીજા પશુઓના મોત થયા નથી પશુઓના મોત પશુપાલકને અંદાજિત 1,20,000 રૂપિયાનું નુકસાન હાલ થયું છે. આ ઘટનાની જાણ માંગરોળના સરકારી પશુ ચિકિત્સક અધિકારી ડોક્ટર એચ.જે.કાવાણીને કરાતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મોતના કારણ અંગે તપાસ કરી હતી તેમજ મૃત પશુઓના લોહી પેશાબ સહિત તમામ નમુનાઓ લેવામાં આવ્યા છે. આ સંદર્ભમાં તેમણે પ્રાથમિક તપાસમાં ઘાસચારામાં ઝેર ખાવાથી પશુઓના મોત થયા હોવાનું જણાવ્યું છે. પરંતુ રિપોર્ટ આવ્યા બાદ પશુઓના મોતનું કારણ જાણી શકાશે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

કરજણ ડેમ સાઈટ પર તાજેતરમાં બે લોકો તણાઈ જવાની દુર્ધટના બાદ તંત્ર જાગ્યુ.

ProudOfGujarat

વલસાડની ત્રણ બ્લડબેંકમાં બ્લડની તંગી: 25 સંસ્થાઓએ કરી મેગા બ્લડ ડોનેટ ડ્રાઈવ: ૩૦2 બોટલ રક્ત એકત્ર કર્યું

ProudOfGujarat

ઝઘડિયાના ખરચી ગામે ગ્રામ પંચાયતની ચુંટણીની અદાવતે ઝઘડો કરી માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!