Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : નાની નરોલી ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ. એકેડેમીમાં સંવિધાન દિવસની ઉજવણી કરાઇ.

Share

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ. એકેડેમી નાની નરોલી ખાતે ભારતના બંધારણને અપનાવ્યાની સ્મૃતિમાં સંવિધાન દિવસ – અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 26 મી નવેમ્બર 1949 ના રોજ, ભારતની બંઘારણ સભાએ ભારતનું બંધારણ અપનાવ્યું, જે 26 મી જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યું. શાળાના આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું.

વિદ્યાર્થીઓ દ્વારા બંધારણ દિવસના મહત્વ પર ટૂંકો પરિચય આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. બંધારણના નિર્માણ અંગેની માહિતી વિદ્યાર્થીઓએ આપી. તેમણે પ્રસ્તાવનામાં દર્શાવેલ માર્ગદર્શક મૂલ્યો, બંધારણનો આત્મા અને મૂળભૂત અધિકારો વિશે પણ વાત કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાને છ મૂળભૂત અધિકારો તરીકે રજૂ કરીને એક અધિનિયમ બનાવ્યો. આચાર્ય એ નાગરિકોમાં સમાનતા અને ન્યાયને પ્રોત્સાહન આપવા માટે અમારા રાષ્ટ્રવાદી નેતાઓ દ્વારા કરવામાં આવેલી જોગવાઈઓ અને ફરજો વિશે વાત કરી જેનો દરેક મૂળભૂત અધિકાર હેઠળના લેખોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે વિદ્યાર્થીઓને અને શિક્ષકોને બંધારણની શપત લેવડાવી. ત્યાર બાદ રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનો અંત આવ્યો હતો.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દશેરા નિમિત શસ્ત્ર પૂજન કરાયું.

ProudOfGujarat

ભરૂચના આમોદ અને જંબુસરના રોડના કામોનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

કોરોના પોઝિટીવ દર્દીને સારવાર આપવા પહેરાતી પી.પી.ઈ. કીટો ડસ્ટબિન પાસે મળી આવી જાણો ક્યાં ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!