Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદના નારણદેવ મંદિરનો ૨૧૫ મો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે.

Share

નડિયાદ સમડી ચકલા ખાતે આવેલ શ્રી મોટા નારાયણ દેવ મંદિરનો ૨૧૫ મો પાટોત્સવ તા. ૭ મે વૈશાખ સુદ- ૬ ને શનિવારના રોજ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાનાર છે. આ પ્રસંગે સવારે મંગળા આરતી બાદ નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત વિદ્યાલયના આચાર્ય વિમલભાઈ વ્યાસ તથા નડિયાદના ભાવેશભાઈ દવે દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રી નારાયણ દેવ ભગવાનનો મહાઅભિષેક જેમાં( ભારતની પવિત્ર નદીઓના જળ,કેસર સ્નાન, પંચામૃત સ્નાન કરવામાં આવશે) મહાઅભિષેક બાદ ૧૧:૦૦ કલાકે ૧૦૮ દિવાની શણગાર આરતી કરવામાં આવશે. રાત્રે શ્રી નારાયણ દેવ ભજન મંડળ દ્વારા ભજન કિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તો નડિયાદના ધર્મપ્રેમી હરિભક્તોએ દર્શનનો લાભ લેવા પધારવા હાર્દિક આમંત્રણ પાઠવેલ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ડેડીયાપાડાનાં જાનકી આશ્રમે દીક્ષાંત સમારોહ તથા સંતસંમેલન યોજાયું.

ProudOfGujarat

વાંકલ ખાતે કાર્યરત સીસીટીવી કેમેરાનો કેબલ કપાતા છેલ્લા ત્રણ દિવસથી છ કેમેરા બંધ હાલતમાં

ProudOfGujarat

આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!