Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધાર્મિક સ્થળો પર ચોરી કરતી ટોળકીને નડિયાદ એલસીબીએ ઝડપી પાડી.

Share

વડતાલ મંદિરમાં આવતા દર્શનાર્થીઓના કિંમતી સામાન તેમજ દાગીનાની ચોરી કરતી આઠ મહિલાઓને નડિયાદ એલ.બી.એ રૂપિયા 1,36,000 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી.

ખેડા જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળોએ કિંમતી ચીજ વસ્તુઓ ચોરી થવા મામલે નડિયાદ એલ.સી.બી દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી તેમજ હ્યુમનરિસોર્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે નડિયાદ શહેરની નાની શાકમાર્કેટની પાછળ આવેલી ગલીમાંથી 8 મહિલા તેમજ અન્ય બે ઇસમોને મંદિરમાંથી ચોરી કરેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની વહેંચણી કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂપિયા 1,36,000 લાખનો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : મૂળનિવાસી એકતા મંચ દ્વારા આયોજીત રસ્તા રોકો આંદોલન પહેલા જ પોલિસ પ્રશાસન એ આગેવાનોની કરી અટકાયત.

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની ગુરુવંદના સાથે શિક્ષકો નું સનમ્માન કરી ઉજવણી કરાઈ… 

ProudOfGujarat

ભરૂચ પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર દ્વારા વાલિયા ખાતે CCI અને ICAR-CICR દ્વારા પ્રાયોજીત ટ્રેનિંગ પ્રોગ્રામ-કમ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!