Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધાર્મિક સ્થળો પર ચોરી કરતી ટોળકીને નડિયાદ એલસીબીએ ઝડપી પાડી.

Share

વડતાલ મંદિરમાં આવતા દર્શનાર્થીઓના કિંમતી સામાન તેમજ દાગીનાની ચોરી કરતી આઠ મહિલાઓને નડિયાદ એલ.બી.એ રૂપિયા 1,36,000 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી.

ખેડા જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળોએ કિંમતી ચીજ વસ્તુઓ ચોરી થવા મામલે નડિયાદ એલ.સી.બી દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી તેમજ હ્યુમનરિસોર્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે નડિયાદ શહેરની નાની શાકમાર્કેટની પાછળ આવેલી ગલીમાંથી 8 મહિલા તેમજ અન્ય બે ઇસમોને મંદિરમાંથી ચોરી કરેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની વહેંચણી કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂપિયા 1,36,000 લાખનો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે નવા વધુ ૫૦ જેટલા સ્ટ્રેચરની સુવિધા ઉપલબ્ધ કરાઇ

ProudOfGujarat

ભરૂચ : રિક્ષામાં નીકળેલી ટોળકીએ પેસેન્જર તરીકે બેસેલ મહિલાને વિશ્વાસમાં લઇ ઘરેણાં લઈ ફરાર થતા ચકચાર..!!

ProudOfGujarat

નડિયાદ : કપડવંજમાં ગટરના દૂષિત પાણી રોડ પર ભરાતા લોકો પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!