Proud of Gujarat
Uncategorized

નડિયાદનાં ઈન્દુલાલ યાજ્ઞિકની 130 મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

Share

મહાગુજરાત આંદોલનના પ્રણેતા આદરણીય ઈન્દુલાલ યાજ્ઞિકની 130 મી જન્મ જયંતી નિમિત્તે આજરોજ ભારતીય જનતા પાર્ટી નડિયાદ શહેર દ્વારા સંતરામ મંદિર પાસે આવેલ તેમની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, જિલ્લા મહામંત્રી વિકાસભાઈ શાહ, નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા, નગરપાલિકા કારોબારી ચેરમેન મનનભાઈ રાવ, નગરપાલિકા સભ્યો, મહિલા મોરચાના હોદ્દેદારો, યુવા મોરચાના હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચમાં ચૂંટણી દિવસે કામદારોને સવેતન રજા, ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી

ProudOfGujarat

ભરૂચમાં ખનિજમાફિયાઓ બેફામ : કલેક્ટર કચેરી પાસેથી રાત્રીના સમયે સીઝ કરેલી ગાડી ઉઠાવી ગયાં

ProudOfGujarat

બિહાર : ક્લિનિકમાં પોતાની અને બાળકની સારવાર માટે પહોંચી માદા વાનર, આરામથી ઈન્જેક્શન લઈ દવા લઈને જતા રહ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!