Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : મહેમદાવાદના હલધરવાસમાં શિક્ષકના ઘરમાં તસ્કરોનો હાથફેરો.

Share

મહેમદાવાદના હલધરવાસ પ્રજાપતિ નિવાસમાં રહેતા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક પંકજકુમારી ગોવિંદભાઈ પ્રજાપતિ, તેમના પત્નિ જશોદાબેન (ગામની કન્યા શાળામાં શિક્ષિકા) પરિવાર સાથે હલધરવાસના ઘરે તાળું મારી અમદાવાદ ઈસનપુરમાં આવેલ બીજા મકાને રહેવા ગયા હતા. દરમિયાન તા.૪ ઓકટોબરે પાડોશીએ ફોન કરીને તમારા ઘરનું તાળું તૂટેલ છે, ચોરી થયાનું જણાય છે. તેમ જણાવતા પરિવાર હલધરવાસ આવ્યો હતો. શિક્ષક દંપતિએ દાગીના બેડરૂમમાં ડ્રેસીંગ ટેબલમાં બનાવેલ ચોરખાનામાં રહેલ દાગીના ચોરાઈ ગયા હતા. જેમાં સોનાની ૧૩ લગડીઓ, બુટ્ટી સાથેનો સેટ, સોનાની લક્કી, બંગડી, દોરો, બે લોકેટ, વીંટી, અને ચાંદીના ચોરસા નંગ ૧૬ મળી કુલ રૂ.૫.૪૦ લાખનો મુદ્દામાલ ચોરાઈ ગયો હતો. બેંકમાં રહેલ લોકર એક વર્ષથી બંધ કરાવી ઘરમાં બનાવેલ ચોરખાનામાં જ દાગીના રાખતા હતા. પોલીસે ફરિયાદને આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના અંકલેશ્વરમાં નિર્માણાધિન ટ્રાન્સપોર્ટનગરની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું

ProudOfGujarat

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીનું રીઝલ્ટ ના આવતા વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના ભાડભૂત ગામ નજીક નર્મદા નદીમાં ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!