Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ-ભરણપોષણ કેસમાં સજા પામેલા 8 કેદી બિલોદરા જેલમાંથી મુક્ત

Share

 

નડિયાદ જિલ્લા જેલમાંથી ગાંધીજીની 150 જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરણપોષણ માટે સજા કાપી રહેલા 8 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત થયેલા કેદીઓને લેવા જેલમાં આવી પહોંચેલા સ્વજનો ગદ્દગદ્દ થઇ ગયા હતા.

Advertisement

નડિયાદ જિલ્લા જેલ બિલોદરા ખાતેથી ભરણપોષણની સજા કાપી રહેલ 8 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. 2 જી ઓક્ટોબરે ગાંધીજીની 150 મી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આગામી એપ્રિલ 2019 માં અને ત્યારબાદ ફરી ઓક્ટોબર 2019 માં અન્ય કેદીઓને મુક્ત કરવામાં આવશે. શુક્રવારે બિલોદરા જેલમાંથી મુક્ત થયેલા કેદીઓને લેવા આવેલા સ્વજનો આ ખાસ ક્ષણે ગળગળા થઇ ગયા હતા. મોઢું મીઠુ કરાવીને સ્વજનની મુક્તિની ઉજવણી કરવામાં આવી હતી.

ગાંધી જયંતિ નિમિત્તે સરકારે કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો

ગાંધીજીની 150 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કેદીઓને છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શુક્રવારે 8 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે અન્ય એક કેદી કે જેને છોડવાનો હતો, તેની સજા પૂર્ણ થઇ હોઇ તેને ગુરૂવારે છોડી મૂકવામાં આવ્યો હતો. હવે આગામી એપ્રિલ માસમાં અને ત્યારબાદ ફરી ઓક્ટોબર માસમાં કેદીઓને મુક્ત કરવામાં આવશે…સૌજન્ય D.B


Share

Related posts

ભરૂચના આંબેડકર હોલ ખાતે મહિલા સ્વરોજગાર દિવસ નિમીત્તે મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

ProudOfGujarat

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 60 વર્ષથી ઉપરનાં વયનાં વૃદ્ધોને કોવિડ 19 ની રસી આપવામાં આવી.

ProudOfGujarat

અમદાવાદ : સરદારનગરમાં ગેંગવોર જેવો માહોલ સર્જાયો, બે જૂથોએ સામસામે પથ્થર મારો કરતાં 4 લોકો થયા ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!