Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : પક્ષીઓના હિતને ધ્યાનમાં રાખતા ફસાયેલી પંતગની દોરીનો નિકાલ કરાયો.

Share

જિલ્લા કલેક્ટર કે.એલ. બચાણીની પતંગની દોરીના નિકાલ અંગેની અપીલના અનુસંધાને પક્ષીઓના હિતને ધ્યાનમાં રાખતા ખેડા મામલતદારની આગેવાનીમાં સરકારી કચેરીઓના મકાનોમાં ફસાયેલી પંતગની દોરીનો નિકાલ કરવામાં આવ્યો. આ કાર્યમાં મામલતદાર કચેરી, પોલિસ વિભાગ, નગરપાલિકા સહિતના અધિકારીઓ, કર્મચારીઓએ અને શહેરના જાગૃત નાગરીકોએ જોડાઈને મોટા જથ્થામાં આવી દોરીઓને એકત્રિત કરી તેનો નાશ કર્યો હતો. જિલ્લાના તમામ જીવોની સુખાકારી માટે હર હમેશ ચિંતિત જિલ્લા કલેક્ટર બચાણીએ પક્ષીઓને માળા બનાવવામાં કોઈ તકલીફ ન પડે અને ભૂલથી પણ કોઈ પક્ષી પતંગ કે દોરાના ગુંચડામાં ફસાય નહિ તેની કાળજી લેતા જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની આસપાસના ઝાડ, રસ્તા, એપાર્ટમેન્ટ, ગલી, મહોલ્લાઓમાં પડી રહેલ દોરીઓનો યોગ્ય નિકાલ કરવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ઉતરાયણ તહેવાર પછી આ પ્રકારની લટકતી દોરીઓથી ખાસ કરીને દ્વી-ચક્રી વાહન ચાલકો, વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને પણ ઈજા થવાનું જોખમ રહેતું હોય છે માટે તેનો યોગ્ય નિકાલ આવશ્યક છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલનો વહીવટ તા.1-10-2020 થી રૂદ્રાક્ષ એકેડમી પ્રા.લિ. વડોદરાને સોંપવામાં આવશે.

ProudOfGujarat

અંકલેશ્વર- સ્ટેશન વિસ્તાર નજીક ગટરના ગંદા પાણી ભરાતા ગણેશ ભક્તો અને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી, અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર ને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી..

ProudOfGujarat

ભરૂચ નર્મદા નદી ઉપરનાં જુના અને નવા સરદાર બ્રિજની નીચે ગેરકાયદેસર રેતી ઉપર ખાણ ખનીજનો સપાટો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!