Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહુધામાં બંધ હવેલીમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી.

Share

મહુધામાં આગની ઘટના બનતાં મહુધા અને નડિયાદ ફાયરબ્રિગેડના કર્મચારીઓ દોડી આવ્યા હતા. શહેરમાં સ્વામિનારાયણ મંદિર પાસેની વિસાનીમાં વૈષ્ણવ સમાજની સાત સ્વરૂપની બંધ હવેલીમાં આગ લાગી હતી. આ હવેલીના ઉપરના માળે કોઈ કારણોસર આગ લાગતાં લાકડાની પીઢો હોવાથી આગે જોતજોતામાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિકોએ તરત જ ફાયરબ્રિગેડ જાણ કરી આ આગને મહુધા નગરપાલિકાના ફાયરફાયટર અને
નડિયાદ નગરપાલિકાના ફાયર ફાયટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગ પર  કાબુ મેળવી દેવામાં આવ્યો હતો. આ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી અને હવેલી બંધ રહેતા કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી તેવુ ફાયર વિભાગે જણાવ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વહેલી સવારનાં સમયે ભરૂચ પંથકમાં ધુમ્મસની ચાદર છવાઈ….

ProudOfGujarat

ભરૂચ : વેડચ પોલીસે ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલો સાથે બુટલેગરને ઝડપી પાડયો.

ProudOfGujarat

બરોડા ડેરીના ત્રણ કેન્દ્ર પરથી 16,888 રૂપિયાના દૂધના કેરેટની ચોરી, કોથળામાં દૂધની થેલીઓ ભરતો શખ્સ CCTV માં કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!