Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : અસામલી ગામે દીવાલ ધરાશાયી થતાં ચાર લોકો દટાયા, બે ની હાલત ગંભીર

Share

માતરના વરસેલામા વરસાદના કારણે અસામલી ગામે દીવાલ ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે. દીવાલ ધરાશાયી થતાં ચાર લોકો દટાયા હતા. ચારમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે જ્યારે બે ને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

ખેડાના માતર તાલુકાના અસામલી ગામે ભારે વરસાદમાં મકાનની દીવાલ થઈ ધરાશાયી થવાનો બનાવ બન્યો છે. કાચી માટી વાળું મકાન હોવાથી દીવાલ ધરાશાઈ થઈ હતી. પરિવાર સુઈ રહ્યો હતો દરમિયાન ચાર લોકો પર દીવાલ ધરાશાયી થઇ હતી.  આ દિવાલના કાટમાળમા ત્રીજોરી, પલંગ સહિતના ઘરનો સર સામને નુકસાન થયું છે. દિવાલ નીચે દટાયેલા પરિવારના ચારમાંથી ત્રણ લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દિવાલ ધરાશાયની જાણ થતાં માતરના સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર, ટીડીઓ પીએસઆઇ સહિતના પદાધિકારીઓ ઘટના સ્થળે પોહચી મુલાકાત લીધી હતી.

Advertisement

Share

Related posts

મ્યુકરમાઈકોસીસનાં ઈન્જેક્શન હવે દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં મળશે : આરોગ્ય વિભાગ.

ProudOfGujarat

મોટામિયા માંગરોલ ખાતે એસ.પી.મદ્રેસા ગર્લ્સ અને બોયઝ હાઈસ્કૂલમાં કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શિબિર યોજાઇ.

ProudOfGujarat

નર્મદા-સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો.ઉપરવાસ માંથી પાણીની આવક 17661 ક્યુસેક રહેતા સપાટી વધી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!