Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : અસામલી ગામે દીવાલ ધરાશાયી થતાં ચાર લોકો દટાયા, બે ની હાલત ગંભીર

Share

માતરના વરસેલામા વરસાદના કારણે અસામલી ગામે દીવાલ ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે. દીવાલ ધરાશાયી થતાં ચાર લોકો દટાયા હતા. ચારમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે જ્યારે બે ને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

ખેડાના માતર તાલુકાના અસામલી ગામે ભારે વરસાદમાં મકાનની દીવાલ થઈ ધરાશાયી થવાનો બનાવ બન્યો છે. કાચી માટી વાળું મકાન હોવાથી દીવાલ ધરાશાઈ થઈ હતી. પરિવાર સુઈ રહ્યો હતો દરમિયાન ચાર લોકો પર દીવાલ ધરાશાયી થઇ હતી.  આ દિવાલના કાટમાળમા ત્રીજોરી, પલંગ સહિતના ઘરનો સર સામને નુકસાન થયું છે. દિવાલ નીચે દટાયેલા પરિવારના ચારમાંથી ત્રણ લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દિવાલ ધરાશાયની જાણ થતાં માતરના સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર, ટીડીઓ પીએસઆઇ સહિતના પદાધિકારીઓ ઘટના સ્થળે પોહચી મુલાકાત લીધી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલની કબર પર અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મર એ પુષ્પાંજલિ અર્પણ કરી.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લામાં નેશનલ ગેમ્સના ભાગરૂપે શાળા અને કોલેજોમાં રમતોત્સવ યોજાશે.

ProudOfGujarat

શપથ ગ્રહણ પહેલા વિજય રૂપાણી અને સી.આર પાટીલને મળવા પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!