Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : અસામલી ગામે દીવાલ ધરાશાયી થતાં ચાર લોકો દટાયા, બે ની હાલત ગંભીર

Share

માતરના વરસેલામા વરસાદના કારણે અસામલી ગામે દીવાલ ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે. દીવાલ ધરાશાયી થતાં ચાર લોકો દટાયા હતા. ચારમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે જ્યારે બે ને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

ખેડાના માતર તાલુકાના અસામલી ગામે ભારે વરસાદમાં મકાનની દીવાલ થઈ ધરાશાયી થવાનો બનાવ બન્યો છે. કાચી માટી વાળું મકાન હોવાથી દીવાલ ધરાશાઈ થઈ હતી. પરિવાર સુઈ રહ્યો હતો દરમિયાન ચાર લોકો પર દીવાલ ધરાશાયી થઇ હતી.  આ દિવાલના કાટમાળમા ત્રીજોરી, પલંગ સહિતના ઘરનો સર સામને નુકસાન થયું છે. દિવાલ નીચે દટાયેલા પરિવારના ચારમાંથી ત્રણ લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દિવાલ ધરાશાયની જાણ થતાં માતરના સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર, ટીડીઓ પીએસઆઇ સહિતના પદાધિકારીઓ ઘટના સ્થળે પોહચી મુલાકાત લીધી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : માંડવા ટોલનાકા ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઈસમોની અટકાયત.

ProudOfGujarat

અંબાજી, પાવાગઢ અને ગિરનાર બાદ વધુ એક યાત્રાધામમાં રોપવેની સુવિધા મળશે.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં તસ્કરો બેફામ : સદગુરુ કોમ્પલેક્ષમાં ધારાશાસ્ત્રીના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!