Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કઠલાલ તાલુકાના વિશ્વનાથપુરા ગામમાં કાચુ મકાન ધરાશાયી થતાં એકનુ મોત, પાંચને ઇજા

Share

કઠલાલ તાલુકાના લસુન્દ્રા નજીક વિશ્વનાપુરા ગામમાં ડાભી શીવાભાઇ અમરાભાઇનું કાચુ મકાન આવેલુ છે. પરિવારમાં અન્ય પાંચ સભ્યો એક સાથે રહે છે. કાચા પતરાવાળુ મકાન ધરાશાયી થતાં ભારે નાસભાગ મચી ગઇ હતી.  મકાન એકાએક પતરા સાથે  પડતાં ઘરમાં હાજર ૬ એક સભ્યોને ઈજા પહોંચી હતી. જેથી આજુબાજુના લોકો  દોડી આવ્યા હતા. તેમજ કાટમાળ નીચે દબાઇ ગયેલા લોકોને બહાર કાઢવા માટેનો પ્રયાસ કર્યો હતો. કાટમાળ હટાવવામાં આવ્યો હતો. જેમાં ભૂરાભાઇ શીવાભાઇ ડાભી ઉવ.૧૪ ને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે
પરિવારના ઘાયલ અન્ય 5 વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધટનાની જાણ થતાં કઠલાલ મામલતદાર સહિત પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો. મામલતદાર દ્વારા મળેલી વિગતો મુજબ આ બનાવમાં ઈજાગ્રસ્તોમા શિવાભાઈ અમરાભાઈ ડાભી (ઉ.વ.૬૦), ઈન્દુબેન શીવાભાઈ ડાભી (ઉ.વ.૫૫), શંકરભાઈ શીવાભાઈ ડાભી, મીનાબેન શીવાભાઈ ડાભી (ઉ.વ.૨૫) અને ભાણીયો અજ્ય વિષ્ણુભાઈ ગોહિલ (ઉ.વ.૧૬)નો સમાવેશ થાય છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં કાપોદ્રામાં આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં વૃદ્ધાએ કરી આત્મહત્યા…

ProudOfGujarat

તીન પત્તીનો જુગાર રમતા ૧૧ શકુનીઓને ઝડપી પાડતી ભરૂચ LCB….

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા પંચાયતમાં કારોબારી અને સામાન્ય ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!