Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ જીઆઇડીસીમાં આવેલ સ્મશાનમાં લાકડા મુકેલા રૂમમાં આગ લાગી

Share

નડિયાદમાં ગુરૂવાર સવારે સ્મશાનના લાકડાના રૂમમાં આગ લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. નડિયાદ ફાયરબ્રિગેડની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો છે.

નડિયાદમાં કમળા જીઆઈડીસીમાં આવેલ સ્મશાનની ઓરડીમાં જ્યાં લાકડા મુકેલ હતાં તે જગ્યાએ આજે સવારે એકાએક કોઈ કારણસર આગ લાગી હતી. સૂકા લાકડા હોવાનાં કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારે ધૂમાડા નિકળતા આસપાસના લોકોએ તુરંત નડિયાદ ફાયરબ્રિગેડને કોલ કરી જાણ કરી હતી. તુરંત ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી એક કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણ પણે કાબૂમાં આવી હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. સ્મશાનમાં લાકડા મુકવાની રૂમમાં આગના બનાવથી લાકડા બળીને ખાખ થઇ ગયા છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં રામ નવમી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા કારોબારી બેઠક, કાર્યકર્તાઓને કામે લાગી જાવા તાકીદ.

ProudOfGujarat

અંક્લેશ્વરનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૦.૭૨%

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!