Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં ગર્ભવતી બહેનો માટે સેમિનાર યોજાયો.

Share

શ્રી સંતરામ મંદિર સંચાલિત પરમ પૂજય મહંત રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત નિર્ગુનદાસજીના સાનિધ્યમાં અને સંચાલક રાહુલભાઈ દવેની આગેવાન હેઠળ ચાલતા શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં ગર્ભવતી માતાઓ માટે ગર્ભાવસ્થામાં મુંજવતા પ્રશ્નોના ઉકેલ માટે સુપ્રસિદ્ધ ગાયનેકોલોજીસ્ટ ર્ડો. જૈનાબેન શાહના સાનિધ્યમાં ગર્ભાવસ્થા સમસ્યા અને નિવારણ વિષય પર તપોવનના કર્મઠ ર્ડો હેતલબેનના વડપણ હેઠળ સેમિનાર યોજવામાં આવ્યો હતો.

સેમિનારમાં 50 થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી. ગર્ભવતી બહેનો એ 70 જેટલા પ્રશ્નો ર્ડો જૈનાબેનને પૂછ્યા હતા અને ર્ડો.જૈનાબેન શાહ એ ખૂબ જ સરળ ભાષામાં સમજાવી જવાબ આપ્યા હતા. પ્રશ્નોતરીમાં ગર્ભાવસ્થા દરમ્યાન કાળજી, કરવામાં આવતી કસરતો, કેવો ખોરાક લેવો, નોર્મલ ડિલિવરી માટે શું કરવું, બાળકને ક્યાં સુધી ધાવણ આપવું આવા અનેકો પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. તેમજ સંત નિર્ગુન દાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહી ર્ડો જૈના બેનનુ સન્માન કરવામાં આવ્યું હતું. સેમિનાર માં ર્ડો. હેતલબેન પટેલ પણ ઉપસ્થિત રહયા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ગોધરા- હોળી પર્વને લઇને બજારમાં ચહલ પહલ,ધાણી-હારડા ખજૂરની ખરીદી

ProudOfGujarat

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની જળયાત્રા સોમનાથ ભૂદરના આરેથી 108 કળશ જળ ભરી કરાશે અભિષેક….

ProudOfGujarat

દીવ પ્રશાસન અને ministry of environment ફોરેસ્ટને climate change દ્વારા world environment day અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!