Proud of Gujarat
FeaturedGujarat

નર્મદા જિલ્લા કલેકટરે ચૂંટણીલક્ષી તાલીમમાં ગેરહાજર રહેલા 28 કર્મચારીઓને નોટિસ આપી.જિલ્લા કલેકટરના આદેશ બાદ રાજપીપલા પ્રાંત અધિકારી કે.ડી.ભગતે તમામને કારણ બતાઓ નોટિસ પાઠવી.

Share

વિશાલ મિસ્ત્રી રાજપીપળા

2019 લોકસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે.નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી લક્ષી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી લક્ષી કામગીરી માટે તાલીમ રાખવામાં આવી હતી,એ તાલીમમાં હાજર રહેવા સંબંધિત કર્મચારીઓને આગોતરા જાણ પણ કરવામાં આવી હતી.એ તાલીમમાં ગેરહાજર રહેનાર 28 જેટલા કર્મચારીઓને નર્મદા જિલ્લા કલેક્ટરે નોટિસ આપતા ખળભળાટ મચી ગયો હતો.

Advertisement

નર્મદા જિલ્લામાં તા.23 મી એપ્રિલ, 2019 ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે 21-છોટાઉદેપુર(અ.જ.જા.) સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ નાંદોદ વિભાનસભા મતવિસ્તાર માટે ગુરુવારે સવારે રાજપીપળા ખાતેની આયુર્વેદિક કોલેજમાં પ્રિસાઇડીંગ અધિકારીઓ તેમજ બપોર બાદ આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસરોની પ્રથમ તાલીમ રાખવામાં આવી હતી.એ તાલીમ માટે અધિકારીઓને આગોતરી જાણ પણ કરવામાં આવી હતી.તેમ છતાં વાજબી કારણો વિના ગેરહાજર રહેલાં 18 જેટલાં પ્રિસાઇડીંગ ઓફિસર અને 10 આસીસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસરોને ચૂંટણીલક્ષી તાલીમમાં ગેરહાજર રહેવા બદલ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલે નોટીસ બજાવવાના કરેલા આદેશ કર્યા હતા.એ અન્વયે નાંદોદનાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કે.ડી.ભગત દ્વારા ગુરુવારે ૨૮ જેટલાં અધિકારીઓ/કર્મચારીઓને ગેરહાજરી સબબ નોટીસ પાઠવવામાં આવી છે.


Share

Related posts

અંક્લેશ્વર GIDC નાં બંધમકાના માંથી તસ્કરો હાથ ફેરો કરી ગયાં…

ProudOfGujarat

લીંબડીના ઘાઘોસર ગામના આધેડ પર ચાર વ્યક્તિઓએ હુમલો કરી ફરાર

ProudOfGujarat

બીલીમોરા-જોરાવાસણ વચ્ચે ગાયનું ટોળું અચાનક ટ્રેક પર આવી જતા ગુડ્ઝની અડફેટે 11 ગાયના મોત નીપજ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!