Proud of Gujarat
FeaturedGujarat

નવસારીના ક્રીડાઈ એસોસિએશનના બિલ્ડરોએ વિવિધ માંગોને લઈને રેલી યોજી…

Share

જીગર નાયક,નવસારી

મહાનગરપાલિકા અને ટ્વીનસીટીના લોલીપોપ બાદ રાજ્ય સરકારે નવસારીમાં નુડાની જાહેરાત કરી હતી જેમાંથી કેટલાક ગામોના આંદોલનોને લઈને ૯૯ ગામો માંથી ૮ ગામો રહી ગયા બાદ પણ રાજ્ય સરકારે નુડા યથાવત રાખતા જિલ્લાના બિલ્ડરો દ્વારા વિરોધ નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૪ વર્ષથી અટકેલા કામોને લઈને બિલ્ડરોને પડતી અગવડતાઓ વધી જતા આજે આક્રોશ રેલી કાઢીને નાયબ કલેક્ટરના દ્વારે હૈયા વરાળ ઠાલવી હતી.

Advertisement

એસોસિએશનના ચેરમેન ભરતભાઇ સુખડીયા એ જણાવ્યું હતું કે નવસારી માં નુડા ને લઇ ને છેલ્લા કેટલા સમય થી એન.એ ની કામગીરી બંધ થઈ ગઈ છે જેને કારણે બિલ્ડરો ને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સરકાર ને વિનંતી છે કે આ અંગે તત્કાલિક નિણર્ય લઈ ને શરતી એન.એ ની પ્રક્રિયા શરૂ કરે નહીં તો આગામી દિવસો માં બિલ્ડરોએ આત્મહત્યા કરવાનો વારો આવશે.


Share

Related posts

ભરૂચ: હાંસોટના દત્તાશ્રય આશ્રમમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગોનું કરવામાં આવ્યું દિવ્ય અનુષ્ઠાન, ભાવિક ભક્તોએ દર્શનનો લીધો લાભ

ProudOfGujarat

ભરૂચનાં વ્હાલું ગામ ખાતે મસ્જીદમાં યુવકને હાથમાં કાચ વાગતા મોત નીપજયું.

ProudOfGujarat

લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત થયા વડાપ્રધાન મોદી, શરદ પવાર પણ મંચ પર રહ્યા હાજર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!