Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ.ટી.સેલ) ના “વિશ્વાસ કાર્યાલય” નું સ્વચ્છતા હીરોના હસ્તે ઉદ્ઘાટન કરાયું.

Share

નેત્રંગ તાલુકા ખાતે કાર્યરત નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ.ટી.સેલ) ના “વિશ્વાસ કાર્યાલય” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નેત્રંગ તાલુકા ખાતે ગત બીજી સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ.ટી.સેલ) ની રચના કરવામાં આવી હતી. જેમાં નેત્રંગ તાલુકા પ્રમુખ બ્રિજેશકુમાર ભરતભાઇ પટેલ તેમજ સંગઠન મંત્રી સ્નેહલકુમાર નરેન્દ્રભાઈ પટેલ અને અન્ય ૨૩ કાર્યકર્તાઓની નિમણુક કરી મંચની રચના કરવામાં આવી હતી.

જયારે આજ રોજ નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ.ટી.સેલ) ના “વિશ્વાસ કાર્યાલય” નું ઉદ્ઘાટન સફાઈ કર્મચારી (સ્વચ્છતા હીરો) નેત્રંગના સફાઈ કર્મચારી મધુબેન રામુભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું અને કમિટી દ્વારા સાડી પણ ભેટ આપવામાં આવી અને તેઓનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. “વિશ્વાસ કાર્યાલય” થી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની યોજના કાર્યો અને વિચારોને જન જન સુધી પોહંચેતે માટે કર્યો કરવામાં આવશે.

Advertisement

ઉદ્ઘાટન પ્રસંગે પ્રમુખ બ્રિજેશકુમારે જણાવ્યું હતું કે અમારી ટીમની ઉપર જવાબદારી આપવા બદલ પ્રદેશ અધ્યક્ષશ્રી રેખાદીદી અને પ્રદેશ સંગઠન મહામંત્રી હિતેશગીરી ગોસ્વામીજીનો આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીજીના હાથ મજબુત કરવા માટે તન-મન અને ધનથી સેવા સહયોગ કરશે તેમ જણાવ્યું હતુ. અને મંચમાં જોડાયેલ દરેકને ગોળ ધાણા ખાવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું.


Share

Related posts

વાલિયાના પેટીયા ગામે માથાભારે ઈસમોએ ખેડૂત પરિવાર અને અન્ય લોકો પર કર્યો હુમલો, 8 લોકો ઘાયલ

ProudOfGujarat

વલણ-પાલેજ ના મુખ્ય માર્ગ ના બાંધકામ માં રેલવે અધિકારીઓ દ્વારા અડચણો ઉભી કરાઇ.

ProudOfGujarat

પોલીસતંત્રનાં કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપયોગ અંગે આચારસંહિતા અને નિયમો લગાવવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!