Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં વેપારી ખેડુત પાસે રૂ.૩૦ નાં ભાવે મણ કેળા લઇ બજારમાં રૂ.૩૦ કિલો વેચે છે.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગ તાલુકાની ગણના થાય છે,સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતોની હાલત દિન-પ્રતિદિન બદતર બની રહી છે,એક કડવી વાસ્તવિકતા છે, તેમ છતાં ખેડૂતો ૮૦૦-૧૦૦૦ ઉંડા બોર કરાવીને ખેતીકામ કરતાં હોય છે,નેત્રંગના કેલ્વીકુવા, કંબોડીયા, બોરખાડી, આટખોલ, બલદવા સહિત કેટલાક ગામના મોટેભાગનાં ખેડુતો કેળાની ખેતી કરતાં હોય છે,અને મબલખ પાકનું ઉત્પાદન કરીને આર્થિક રીતે સધ્ધર બન્યા છે,પરંતુ હાલના સમયમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે લોકડાઉન કરાતાં ધંધા-રોજગાર બંધ પડ્યા છે,તેની સીધી અસર ખેતી ઉપર જણાઇ રહી છે,જેમાં કેલ્વીકુવાના એક ખેડુતે સંવાદમાં જણાવ્યું હતું કે,નેત્રંગ તાલુકામાં વેપારીઓ ખેડુત પાસેથી રૂ.૩૦ નાં ભાવે મણ કેળા ખરીદીને બજારમાં રૂ.૩૦ કિલો વેચે છે,તેવા સંજોગોમાં ખેડુતોને કેળાના પાકના ઉત્પાદન અને ગુણવતા મુજબ ભાવ મળી રહેતો નથી,ખેડુત રોપણી,ખાતર,દવાનો છંટકાવ અને ખેતમજુરી માથે પડી રહી છે,ખેતરમાં કેળાનો પાક તૈયાર છે,ઓછા ભાવના કારણે ખેડુતોની એક કેળના છોડ પાછળ ઓછામાં ઓછા ૭૦ રૂ.વધુ ખચૅ થવાનું જાણવા મળ્યું છે,કેળા કાપવા મજુરો પણ મળતા નથી,આ બાબતે ખેડુત આલમમાં રોષ જણાઈ રહ્યો છે,આ વષૅ તરબુચની ખેતીમાં પણ મોટાભાગના ખેડુતોને આર્થિક ફટકો પડવાની શક્યતાઓ જણાઈ રહી છે,હાલમાં ૩-૪ રૂપિયે તરબુચ વેપારી લઇ જઇ રહ્યા છે,લોકડાઉનના પલગે ખેડુતોની હાલત પણ દયનીય બની ગઇ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ગડખોલ બ્રિજ પર લાઈટના અભાવના કારણે સ્થાનિકોને પડતી તકલીફોને લઈ યુવા કોંગ્રેસ દ્વારા તંત્ર સામે કરાયુ વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

વડોદરા કપુરાઈ ચોકડી નજીક કારમાં આગ લાગતા બે વ્યક્તિનો આબાદ બચાવ

ProudOfGujarat

અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં કોંગ્રેસનું ચક્કજામ, કાર્યકરો અને પોલીસ વચ્ચે સર્જાયુ ઘર્ષણ, બિસ્માર માર્ગોને લઈ કોંગ્રેસ આક્ર્મક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!