ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
વરેડિયા રેલવે સ્ટેશને મંગળવારે સાંજે એક યુવાનનું ટ્રેનમાંથી પડી જતાં કરુણ મોત નીપજયું હતું.
રેલવે પોલીસ માહિતી અનુસાર તારીખ 24 મંગળવારના રોજ સાંજે 6:30 વરેડિયા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 4 ઉપર ૬૯૧૦૯ સુરત અમદાવાદ મેમુ લોકલ ટ્રેન માંથી એક પેસેન્જર નામે ઐયુબ ઈસ્માઈલ દિવાન ઉંમર વર્ષ આશરે ૩૬.રહે સાયર ગામ તાલુકો કરજણ.જીલ્લો વડોદરા ચાલુ ટ્રેનમાંથી કિલોમીટર.૩૪૪/૨૨ ડાઉન રેલવે લાઈન ઉપર પડી જતા શરીરના ભાગે ગંભીર ઈજાઓના થઈ હતી જેના કારણે ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ રેલ્વે એએસઆઈ ઘનશ્યામસિંહ ચંદ્રસિંહ ને થતાં વરેડિયા રેલવે સ્ટેશને સદોડી આવી કાયદેસર કાગળો કર્યા હતા વાલીવારસોને ઘટનાની જાણ કરી હતી.લાશને પી.એમ માટે પોલીસ સરકારી દવાખાને લઇ જવામાં આવી હતી.
Advertisement