Proud of Gujarat
FeaturedGujaratINDIA

લુણાવાડામાં ગૌરક્ષાદળ અને શિવસેના દ્વારા પોલીસની મદદથી ચાર ગૌવંશને બચાવાય

Share

વિજયસિંહ સોલંકી, લુણાવાડા

મહિસાગર જીલ્લાના લુણાવાડા ખાતે આવેલા સાકા મેદાન પાસે આવેલી ઝાડીઓમાં ગેરકાયદેસર રીતે બાંધી રાખવામા આવેલા ગૌવંશને મહીસાગર પોલીસની મદદથી બચાવી પાંજરાપોળ ખાતે ખસેડવામા આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર મહિસાગર જીલ્લાના લુણાવાડા સહીતના વિસ્તારોમા ગૌરક્ષક તરીકેકામ કરતા વિનોદભાઈ પંચાલ અને શિવસેનાના લાલાભાઈ ગઢવીને ફોન રાહે કોઈ વ્યકિત દ્વારા જાણ કરવામા આવી હતી કે સાકા મેદાનની પાસે ઝાંડીઓમા ગેરકાયદેસર રીતે ગૌવંશ બાધવામા આવેલા છે.રાતે જાણ તથા આ બંને ગૌરક્ષોઓ બચાવાનો નિર્ણય લીધોપણ ત્યા જગ્યા ઉપર પહોચવું જરા જોખમ ભર્યું હતું બીજુ કે આવી જગ્યા પર એકલા જવાને કારણે ગૌવંશની હેરાફેરી કરનારા તત્વો હુમલો પણ કરી બેસે તેવી શંકા સેવાઈ રહી હતી તેના કારણે લાલાભાઈ ગઢવી શિવસેના પ્રમુખ(પંચમહાલ- મહિસાગર) દ્વારા મહીસાગર પોલીસનો સંપર્ક કરવામા આવ્યો. અને તાત્કાલિક પોલીસ કાફલો દોડી આવ્યો આવ્યોઅને બાતમી વાળી જગ્યાએથી ગૌવંશને બચાવી લેવામા આવ્યા છે. ગોધરા ખાતેની જીવ કલ્યાણ પાજરાપોળ ખાતે મોકલી દેવામા આવ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ચડ્ડી બનીયાનધારી ગેંગ દ્વારા એક જ રાતમાં 8 જેટલી દુકાનોનાં શટર તોડવામાં આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો.

ProudOfGujarat

ભરૂચ શહેરને પૂરું પાડતી નહેરમાં પડેલ ગાબડું વહેલી તકે રીપેરીંગ કરવા વિપક્ષના સભ્યોની માંગ

ProudOfGujarat

મુંબઈથી ભરૂચ લવાયેલ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ૩ કેરીયર ઝડપાયા, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!