Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના વાઇરસનાં સંક્રમણને નાથવા ગોધરા નગરપાલિકાની ધનિષ્ટ કામગીરી.

Share

પંચમહાલ જિલ્લા ગોધરા નગરપાલિકા દ્વારા કોરોના વાઇરસના સંક્રમણને નાથવા માટે ધનિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના મુજબ ગોધરામાં આવેલ વિવિધ સોસાયટીઓ, ગલી મહોલ્લામાં ફોગીંગ અને સેનેટાઈઝરના છંટકાવથી વિસ્તારોને સેનેટાઈઝ કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા. ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મેલેરિયા વિભાગના સેનેટરી ઈન્સ્પેકટર અશોકભાઈ સોલંકી અને કિરણભાઈ ચૌહાણને ગોધરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફોગીંગ અને દવાઓ છંટકાવ કરવા માટે સુચના આપી હતી જેથી મેલેરિયા વિભાગની ટીમે ગોધરામાં આવેલ એસઆરપી પાછળ મીનાક્ષી સોસાયટી અને બજારાં પાર્ટી પ્લોટ તથા ડોડપા ફળિયા વિસ્તારમાં ફોગીંગ કરી દવાઓનાં છંટકાવથી સેનેટાઈઝ કરવામાં આવ્યા હતાં.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે વલસાડ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો..

ProudOfGujarat

રાજપીપળા વોર્ડ નંબર 1 માંથી ઇસ્માઇલભાઈ મન્સૂરીની આગેવાનીમાં રાજપીપળા નગરપાલિકા દ્વારા વેરો વધારવાના વિરોધમાં 132 જેટલી અરજી મોકલી.

ProudOfGujarat

સુરતમાં બેરોજગાર બનેલા મહેશ યાદવે બેંક ઓફ બરોડાના એટીએમને તોડવાનો પ્રયાસ કરતા પોલીસે ઝડપી લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!