Proud of Gujarat
EducationFeaturedGujarat

પંચમહાલ જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની યોજાનારી પૂરક પરીક્ષાઓનું જાહેરનામું.

Share

પંચમહાલ રાજુ સોલંકી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૧૧/૦૭/૨૦૧૯થી તા. ૧૪/૦૭/૨૦૧૯ સુધી ધોરણ-૧૨ સામાન્ય/વિજ્ઞાન તેમજ ધોરણ-૧૦ની જુલાઈ-૨૦૧૯ની પૂરક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓનું સંચાલન સરળતાપૂર્વક થાય, ખંડ નિરીક્ષકો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વગર નિરીક્ષણ કાર્ય કરી શકે તથા પરીક્ષાર્થીઓ શાંતિમય સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક તથા ગેરરીતિ કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષાઓ આપી શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મહેન્દ્ર એલ. નલવાયા (જી.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ પરીક્ષા કેન્દ્રો ખાતેના સ્થળોથી ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા હેઠળ જિલ્લાના પરીક્ષાકેન્દ્રોએ તા. ૧૧/૦૭/૨૦૧૯થી તા. ૧૪/૦૭/૨૦૧૯ સુધી(બંને દિવસો સહિત) સવારના ૯.૩૦ કલાકથી ૧૮.૨૦ સુધીના સમયગાળા માટે નીચે દર્શાવેલ કૃ્ત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

Advertisement

આ જાહેરનામા દ્વારા પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધી કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓએ અવરજવર કરવા ઉપર, કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઈપણ પ્રકારે અડચણ કે અવરોધ કરવા કે કરાવવા ઉપર તેમજ કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા કે કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવા ઉપર કે પરીક્ષાર્થીઓને શાંતિ-લેખન કાર્યમાં અડચણ-વિક્ષેપ થાય તેવું કોઈ કૃત્ય કરવા-કરાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીઓ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી વસ્તુ અથવા મોબાઈલ ફોન, પેજર, કેમેરા, લેપટોપ, કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર વગેરેનો ઉપયોગ કરવા, કરાવવા ઉપર, પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા સ્થળમાં લઈ જવા, વહન કરવા કે તેમાં મદદગારી કરવા કે તેવી વસ્તુઓ સાથે પરીક્ષાસ્થળમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવાના હેતુથી પરીક્ષાના સમગ્ર વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ કોપિયર, ફેક્સ મશીન સંચાલકોએ કોપિયર મશીનોનો ઉપયોગ પરીક્ષાના દિવસે સવારના ૯.૦૦ કલાકથી ૧૮.૨૦ સુધી સદંતર બંધ રાખવાના થશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ઈન્ડિયન પીનલ કોડની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.અત્રે ઉલ્લેખનીય છે કે એસ.એસ.સી.ના અંદાજિત ૧૨૦૦ વિદ્યાર્થીઓ અને એચ.એસ.સી.ના ૫,૩૮૦ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાઓ માટે હાજર રહેશે.


Share

Related posts

અંકલેશ્વરનાં ઉમરવાડા ગામ ખાતે પત્ની સાથે આડા સબંધનાં વહેમમાં એક વ્યક્તિની હત્યા, પોલીસે કરી આરોપીની ધરપકડ.

ProudOfGujarat

અમદાવાદમાં માણેકચોકના વેપારીનો કર્મચારી 25 કિલો સોનું લઈ ફરાર

ProudOfGujarat

સી.આય.એસ.એફ,ઇકાઈ,ઓ.એન.જી.સી. અંકલેશ્વર દ્વારા જ્વાઈન્ટ મોકડ્રિલનું સફળ આયોજન કરાયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!