Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો મળતા નવા કન્ટેઇન્મેન્ટ વિસ્તારો જાહેર કરાયા.

Share

પંચમહાલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મહેન્દ્ર એલ. નલવાયા (જી.એ.એસ.) દ્વારા ધી એપિડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ની કલમ-૨ અન્વયે મળેલ અધિકારની રૂએ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા કલમ-૩૪ હેઠળ જિલ્લાના કેટલાક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ વિસ્તારો જાહેર કરી નિયંત્રણો જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ સુભાષ શેરીમાં ૧૩ મકાનોની ૪૬ની વસ્તી, રાજેશ્વરનગર વિસ્તારમાં ૧૨ મકાનોની ૪૭ની વસ્તી, ગોકુલનગર-૨ વિસ્તારમાં ૬ મકાનોની ૧૪ની વસ્તી, મેઈન બજાર વિસ્તારમાં આવેલ ૭ મકાનોની ૧૭ની વસ્તી, શ્રી હરિ સોસાયટીના ૬ મકાનોની ૨૮ની વસ્તી, રણછોડનગર વિસ્તારના ૬ મકાનોની ૧૨ની વસ્તી, મંગલમ પાર્ક/નીલકંઠ એવન્યુના ૮ મકાનોની ૨૦ની વસ્તી, ન્યુવીર સ્કુલ સામે ગોધરા રોડ વિસ્તારમાં આવેલ ૫ મકાનોની ૮ની વસ્તી, મધુવન પાર્ક સોસાયટીના ૬ મકાનોની ૧૪ની વસ્તી ધરાવતા વિસ્તારો તેમજ હાલોલ તાલુકાના કંજરી ગામના સમાવિષ્ટ રામનગર વિસ્તારના ૧૩ મકાનોમાં ૩૨ની વસ્તી ધરાવતા વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાંથી કોરોના પોઝિટીવ વ્યક્તિઓ મળી આવતા આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાનમાં રાખીને જે-તે વિસ્તારના અન્ય લોકોમાં સંક્રમણ ફેલાય નહીં તે હેતુસર આ વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. જાહેરનામા અનુસાર, કન્ટેઈન્મેન્ટ એરિયામાં આવતા તમામ રહીશોએ આ વિસ્તારોના જાહેર ફળિયા કે સ્થળોએ બિનજરૂરી અવરજવર કરવી નહિ તેમજ જાહેર સ્થળોએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનો રહેશે અથવા તો મોઢું અને નાક વ્યવસ્થિત રીતે કાપડથી ઢાંકવાના રહેશે. આ તમામ રહીશોના સંબંધિત ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી અને તેમના દ્વારા અધિકૃત કરેલા અધિકારીની પૂર્વ મંજૂરી વિના કન્ટેન્મેન્ટ એરિયાની બહાર નિકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું આગામી હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ થી ૫૮ની જોગવાઈઓ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે. આ હુકમ સરકારી ફરજ, કામગીરી અને સરકારી-અર્ધ સરકારી એજન્સી, સરકારી- પ્રાઇવેટ દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યક્તિઓને કે જેમને અનુમતિ અપાયેલી છે તેમને લાગુ પડશે નહીં.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજપીપલાના ભ્રહ્યમપુત્ર હોસ્ટેલ ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરાઇ

ProudOfGujarat

હાર્દિક પંડ્યા બની શકે છે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, સુનીલ ગાવસ્કરે કરી ભવિષ્યવાણી.

ProudOfGujarat

ઝંખવાવ ગામે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા હનુમાનજી મંદિરની મૂર્તિ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!