Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : મધ્યાહન ભોજનમાં પ્લાસ્ટિકનાં નહીં પણ ફોર્ટિફાઈડ પ્રિમિક્સ ચોખા અપાય છે

Share

ગુજરાતના તમામ જિલ્લાઓમાં મધ્યાહન ભોજન યોજના (એમડીએમ) અંતર્ગત ફોર્ટિફાઈડ ચોખાનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.ફોર્ટિફાઈડ ચોખામાં ફોલિક એસિડ, વિટામીન બી-12, અને ફોલિક એસિડ (બી-9) જેવા પોષક તત્વો હોવાથી બાળકોનાં ભોજનમાં તેનો ઉપયોગ કરવાનો સરકારે નિર્ણય લીધો છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ ધોરણ 1 થી 8 સુધીની પ્રાથમિક શાળામાં સમાવિષ્ટ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો પર મધ્યાહન ભોજનનો લાભ લેતા બાળકો, વાલીઓને સિક્યુરીટી એલાઉન્સના ભાગરૂપે ફોર્ટિફાઈડ રાઈસનું વિતરણ કરવામાં આવે છે.

ફોર્ટિફાઈડ રાઈસમાં વિટામીન બી-12 અને ફોલિક એસિડ (બી-9) ઉમેરવામાં આવતું હોવાથી શાળામાં ભણતા બાળકોનાં સર્વાંગી વિકાસ થાય છે, કુપોષણ નિવારી શકાય છે તથા આ ચોખાનો આહારમાં ઉપયોગ કરવાથી બાળકોની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. ફોર્ટિફાઈડ રાઈસ ભારતના ફૂડ સેફ્ટિ સ્ટાન્ડર્ડસ ઓથોરિટીના ધોરણો અનુસાર આવશ્યક વિટામીન્સ અને ખનીજોથી સજ્જ છે. ફોર્ટિફાઈડ રાઈસ બાળકોના સર્વાંગી વિકાસમાં બહુ ઉપયોગી થતા હોવાથી મધ્યાહન ભોજન યોજનામાં ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ લાભ લેતા બાળકો-વાલીઓને તેનો ઉપયોગ કરવા નાયબ કલેક્ટર મધ્યાહન ભોજન યોજના અમિતા પારગીએ એક અખબારીયાદીના માધ્યમથી અનુરોધ કર્યો છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ખેડા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રાજ્યકક્ષામંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં શ્રમિકો માટે “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના”નો પ્રારંભ કરવામાં આવ્યો

ProudOfGujarat

ભરૂચના ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર ખાતે મકાનમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ProudOfGujarat

સુરત : અમરોલી વિસ્તારમાં આવેલી મારૂતિધામ સોસાયટીના 6 જેટલા ઘરોને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!