Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લાના સાત તાલુકાના ૫૩૫ ગામ તળાવો ઉંડા કરવામાં આવશે

Share

વિજયસિંહ સોલંકી, ગોધરા

પંચમહાલ જિલ્લામાં આગામી તા. ૧ લી મે થી તા. ૩૧ મે-૨૦૧૮ દરમિયાન સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન દરમિયાન જિલ્લાના સાત તાલુકાના ૫૩૫ જેટલા ગામ તળાવોને સ્વૈચ્છિક સેવભાવી સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો, ધાર્મિક સંસ્થાઓ તેમજ મનરેગા યોજના હેઠળ ઉંડા કરવામાં આવશે. એમ પંચાયત રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું છે.
ગોધરા ખાતે આજે પંચાયત રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને પંચમહાલ જિલ્લામાં હાથ ધરાનાર જળ સંચય અભિયાન ના અસરકારક આયોજન અને અમલીકરણ બેઠક યોજાઇ હતી.
પંચમહાલ જિલ્લામાં જળ અભિયાન હેઠળ ગામ તળાવોને ઉંડા કરવા તેમજ ચેક ડેમ રીસીલ્ટીંગના વિવિધ કામો સંપૂર્ણ પારદર્શિ અને અસરકારક રીતે થાય તે જોવા મંત્રીશ્રીએ અમલીકરણ અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. જળ અભિયાન હેઠળ હાથ ધરાનાર તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે આગોતરૂ આયોજન ઘડી કાઢવા તેમણે અધિકારીઓને જણાવ્યું હતું. આ જિલ્લામાં અત્યાર સુધીમાં ઉંડા ન થયા હોય તેવા તળાવોને ઉંડા કરવાનું સૂચન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લાના સાત તાલુકાઓમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ૩૯૧ ગામ તળાવો, મનરેગા હેઠલ ૧૪૪ તથા ૧૯૦ ચેક્ડેમ એન.જી.ઓ. ની મદદદથી તથા ૪૩૪ ચેકડેમ મનરેગા હેઠળ ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ તળાવો અને ચેક ડેમો ઉંડા થતાં તળાવો અને ચેકડેમોમાં જળ સંગ્રહશક્તિ આગામી ચોમાસામાં વધશે.
મંત્રીશ્રીએ જિલ્લામાં નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે અસરકારક આયોજન ઘડી કાઢવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કેતુબેન દેસાઇ, જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે. શાહ સહિત અમલિકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

ખાનગી શાળાઓમાં ફી વધારો તેમજ ડોનેશન પ્રથા બંધ કરવા સહિતની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર..!!

ProudOfGujarat

પંચમહાલ : ગોધરા અને શહેરાનાં ધારાસભ્યએ ગ્રામીણ વિસ્તારમાં કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લીધી.

ProudOfGujarat

વિડીયોકોન કંપનીમાં રૂ-૬૫૦૦૦ ની મતા ઉપરાંત ની ચોરી થઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!