Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજકોટના ઉપલેટા નજીક એસટી બસ વોંકળામાં ખાબાકી, 25 વિદ્યાર્થીના જીવ અધ્ધર.

Share

રાજકોટ તાલુકાના ઉપલેટા નજીક એક એસટી બસને અકસ્માત નડ્યો હતો અહીં ગઢડાથી ઉપલેટા તરફ બસ જઈ રહી હતી તે દરમિયાન વળાંકમાં બસ ખુલ્લા વોંકળામાં ખાબકી હતી. બસ ચાલક દ્વારા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવવાને કારણે ઘટના બની હતી. આ બનાવને પગલે બસમાં સવાર 25 જેટલા વિદ્યાર્થીઓના જીવ અધ્ધર થઇ ગયા હતા. જોકે સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી હતી.

વહેલી સવારના સમયે અકસ્માતના કારણે વિદ્યાર્થીઓ સહિતના લોકોએ દેકારો મચાવી દીધો હતો.દિવસની શરૂઆત જ લોકો માટે ભય વચ્ચે થઇ હતી.બસ ખુલ્લા વોકળામાં ખાબકવાને કારણે બસ આડી થઈ ગઈ હતી.જેથી બસમાં સવાર લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. આ અકસ્માત થતા માંડ માંડ બચ્યા હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળાઓ પણ ઉમટી પડ્યા હતા લોકોએ પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી. વોકળા ઉપર કોઈ સંરક્ષણ દીવાલ ન હોવાને કારણે બસ રોકાઈ ન હતી અને ખાલિયામાં ખાબકી હતી.

આ અંગે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અહીં વોકળા પર કોઈ સંકરક્ષણ દીવાલ ન હોવાને કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે. જોકે હવે જોવાનું રહેશે કે પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવશે કે કેમ ત્યારે આ બનાવને લઈને વિદ્યાર્થીઓમાં ભય બેસી ગયો હતો.


Share

Related posts

દસ દિવસમાં વરસાદ નહીં, તો પીવાનું પાણી નહીં- અંકલેશ્વર નગરપાલિકા.

ProudOfGujarat

ભરૂચ અસુરીયા પાટિયા પાસેથી કારમાં લઈ જવાતાં વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોની ધરપકડ, લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

નેત્રંગમાં રોગી કલ્યાણ સમિતિએ ૫૦ લીટર સેનીટાઇઝર – પંપ ૧૦૮ એમ્બ્યુલન્સને આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!