Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ ડેમમાંથી લોકોની પાણીની જરૂરીયાતને પહોંચી વળવાની સાથે નદીઓને જીવંત રાખવા પાણી છોડાયું. ૧૭૦૦ ક્યુસેક જેટલું પાણી છોડાયું. ૬ અને ૭ નંબરના બે રેડીયલ ગેટ ખોલાયાં.

Share

રાજપીપળા, નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના જીતગઢ ગામ નજીક આવેલા કરજણ ડેમમાંથી કરજણ નદી અને નર્મદા નદીના લાભિત ગામોના વિસ્તારના લોકોની પાણીની જરૂરીયાતને પહોંચી વળવાની સાથે નદીઓને જીવંત રાખવા માટે સરકારશ્રીની સુચના મુજબ આજે તા.૨૧ મી ડિસેમ્બર, ૨૦૧૯ ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કરજણ ડેમની હાલની ૧૧૫.૦૭ મીટરે નોંધાયેલી જળ સપાટીમાં જીવંત જથ્થો ૫૦૯.૪૬ મિલીયન ક્યુબીક મીટરની ઉપલબ્ધિ અન્વયે આ ડેમના બે રેડીયલ ગેટ અનુક્રમે ૬ અને ૭ માંથી ૦.૧૫ મીટર ખોલીને આજે કુલ ૧૭૦૦ ક્યુસેક પાણીનો જથ્થો કરજણ નદીમાં છોડવામાં આવ્યો હોવાની જાણકારી કરજણ ડેમના અધિક મદદનીશ ઇજનેર એ.વી. મ્હાલે આપી હતી. તેઓ એ આપેલી વધુ વિગતો મુજબ આ પાણીનો પ્રવાહ રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ભુછાડ, ધાનપોર અને ધમણાચાના ગામોથી નર્મદા નદીમાંથી પસાર થશે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ઉપરાલી ગામ ખાતે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનુ વાતાવરણ….

ProudOfGujarat

સુરત : દીકરાએ પિતાનો 61 મો જન્મદિવસ યાદગાર બનાવ્યો : ભેટમાં આપી ચંદ્ર પર એક એકર જમીન.

ProudOfGujarat

ભરૂચ ના પત્રકારો અને જાહેર જનતા તરફ થી નવજીવન ન્યુઝ ના ડાયરેકટર પ્રશાંત દયાળ નો સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!