Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

દલિત સમાજ પર થતા અત્યાચારો રોકી જવાબદારો સામે પગલાં ભરવા નર્મદા કોંગ્રેસની માંગ.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપલા)
:ગુજરાતના પાટણમાં તાજેતર એક દલિત અસરગ્રસ્ત સ્વ.ભાનુભાઈ વણકરે જમીનની માંગણી માટે આત્મવિલોપન કરી પોતાનો જીવ ગુમાવ્યો હતો.ત્યારે રાજ્ય સરકારની કામગીરી દલિત-આદિવાસી વિરોધી હોવા ઉપરાંત કાયદો અને વ્યવસ્થા પર કોઈની પકડ ન હોવાના આક્ષેપ સાથે સ્વ.ભાનુભાઈ વણકરને સરકારી લાભો-હક્ક મળે એવી માંગ સાથે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ નર્મદા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા પ્રમુખ પ્રફુલ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ રુચિકા વસાવા,પાલિકા સદસ્ય કમલ ચૌહાણ,પાલિકા વિપક્ષ નેતા મુન્તઝિર ખાન શેખ,પ્રકાશ વસાવા સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો હાજર રહ્યા હતા.
આ બાબતે કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દલિત આદિવાસીની સુરક્ષામાં અને પારદર્શક વહીવટમાં નિષ્ફળ ગઈ છે.પ્રજા પરેશાન છે અને સરકાર મોજમાં આજે એક દલિત પોતાના હક્કો માટે કચેરીઓના ધક્કા ખાઈ ખાઈ અને અંતે આત્મવિલોપન કર્યું.તોય જાડી ચામડીના આધિકારીઓના પેટનું પાણી હાલતું નથી.ખરેખર આવા અધિકારીઓ સામે પગલાં ભરી સરકાર મૃતક ભાનુભાઇ વણકરને હક્ક આપે એવી માંગણી કરી છે.

Share

Related posts

સુરતમાં 18 લાખના હીરાનું પડીકું લઇ ભાગી છૂટેલો ઠગ હિમાલચ પ્રદેશથી ઝડપાયો..!

ProudOfGujarat

ભરૂચ પોલીસ હેડક્વાટર્સ ખાતે વિજયા દશમી નિમિત્તે જિલ્લા પોલીસ વડા દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

ProudOfGujarat

ભરૂચ : યુરિયા ખાતર મેળવવા ખેડૂતોએ લાંબી કતારમાં કલાકો સુધી ઊભા રહેવું પડે છે તેમજ અનેક સમસ્યાઓ અંગે કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.

ProudOfGujarat
error: Content is protected !!