Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : જીતનગરની જિલ્લા જેલમાં દશામાં નું વ્રત કરતા કેદી ભાઈ-બહેનો…

Share

નર્મદા જિલ્લાની જીતનગરની જિલ્લા જેલમાં કેદી ભાઈ બહેનોએ દશામાં વ્રતનો પ્રારંભ કર્યો છે. જેમાં કેદી મહિલાઓ અને કેદી ભાઈઓએ દશામાની મૂર્તિ સ્થાપી દશ દિવસ પૂજન અર્ચના કરી કોરોના મુક્તિની પ્રાર્થના કરી રહ્યા છે.

જેલ અધિક્ષક એલ એમ બારમેરાના જણાવ્યા અનુસાર બંદીવાનોમા કોરોના વાયરસ સંક્રમણ ફેલાય નહીં તે માટે રાજપીપળા જિલ્લા જેલના અધિકારી દ્વારા સતત પ્રયત્નશીલ રહેવામાં આવે છે. જિલ્લા આરોગ્ય અધિકારી વિપુલભાઈ ગાવિત તથા તબીબી અધિકારીશ દિવ્યાબેન ખેરના સતત પ્રયત્નથી કોરોનાની વેક્સીન દરેક કેદીઓને મુકાવી છે.

અધિક પોલીસ મહનિર્દેશક (જેલ) ડો. કે.એલ.એન. રાવ સાહેબના સતત માર્ગદર્શન હેઠળ બંદીવાનના સ્વાસ્થય સબંધિત સૂચનાથી આ સુંદર કાર્ય થઈ રહ્યા છે. ત્યારે કેદીઓમા ધાર્મિક ભાવના ખીલે તે માટે જેલમાં કેદી ભાઈ બહેનોએ પણ દશામાં નુ વ્રત કરી રહ્યા છે. એ માટે જેલ અધિક્ષકે મૂર્તિ લાવી આપી પૂજાનો સામાન લાવી વ્યવસ્થા કરી આપી છે. કેદીઓ ભક્તિભાવ પૂર્વક પૂજા કરી કોરોનામાંથી સૌ મુક્ત થાય એવી પ્રાર્થના કરી હતી.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

કરજણ તાલુકાના બામણ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોની કતાર જામી.

ProudOfGujarat

ભરૂચના પાલેજ ખાતે ઇદે મિલાદ પ્રસંગે મક્કા મસ્જિદના ખતિબો ઇમામ મૌલાના મોહમ્મદ અશરફીના બયાનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : કપડવંજ પાસે કાર અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાતાં બે ના મૃત્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!