Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ૩૧ ઓક્ટોબર રાષ્ટ્રીય ‌એકતા દિવસનો ‌આદિવાસી સમાજ બહિષ્કાર કરશે.

Share

31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય ‌એકતા દિવસની ઉજવણી થવાની છે. જેની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છેતો બીજી તરફ આદિવાસી સમાજના કેટલાક લોકોએ આ કાર્યક્રમનો વિરોધ શરૂ કર્યો છે. જે અનુસંધાને ૩૧ ઓક્ટોબર રાષ્ટ્રીય ‌એકતા દિવસનો ‌આદિવાસી સમાજ બહિષ્કાર કરશે. આદિવાસી વિસ્તારમાં આ વર્ષે પણ ૩૧ ઓક્ટોબરના રોજ અન્ન જળનો ‌ત્યાગ કરી. કાળી પટ્ટી ધારણ કરી, કાળી ધજા ફરકાવીને ભાજપના કાર્યક્રમનો બહિષ્કાર કરશે.

આદિવાસી અગ્રણી પ્રફુલ પટેલના જણાવ્યા અનુસાર કેવડિયા વિસ્તારમાં આદિવાસીઓની જમીનો પડાવવા ભાજપ ‌સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ ‌બનાવી આદિવાસીઓના ‌બંધારણીય‌ અધિકારો પર ‌તરાપ મારી છે. રાષ્ટ્રીય ‌એકતા દિવસ એટલે આદિવાસીઓની જમીનો પર ‌જબરદસ્તી કબ્જો કરવાનો દિવસ અમે ‌સરદાર પટેલની જયંતિ ઉજવીશું. પરંતુ ભાજપ ‌સરકારના સરદાર પટેલ નામે આદિવાસીઓની જમીનો લુંટ સમાન રાષ્ટ્રીય ‌એકતા દિવસનો અમે બહિષ્કાર કરીએ છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ‌નામે સરદાર પટેલ સાહેબને આગળ કરી ભાજપ સરકાર આદિવાસીઓના ‌બંધારણીય અધિકારો ખતમ કરી રહી છે જેનો ‌આદિવાસી સમાજ વિરોધ કરે છે.

Advertisement

સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ‌આદિવાસી શોષણનું પ્રતિક સમાન બનતી જાય છે. ભાજપ સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસી સંસ્કૃતિ, અસ્મિતા અને અખંડિતતા, બંધારણીય અધિકારો ખતમ કરી રહી છે જેનો આદિવાસી સમાજ વિરોધ કરે છે એમ ડો. પ્રફુલ વસાવાએ જણાવ્યું છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

રાજપારડી પોલીસે લોકડાઉન ભંગ અંતર્ગત કુલ ૧૭૮ વાહનો ડિટેઇન કર્યા.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં વકરતો કોરોના : વેપારી મંડળો તથા નગરપાલિકા સભ્યો સાથે વહીવટીતંત્રની બેઠક.

ProudOfGujarat

અંકલેશ્વર : ધૂળ સફાઈનું મશીન જ ધૂળ ખાતું નજરે પડયું, પ્રજાનાં પૈસાથી મશીન વસાવ્યું પરંતુ રસ્તા જ એવા નથી કે મશીન રોડ પર ચાલી શકે, જાણો પાલીકાનો આવો કેવો વહીવટ…?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!