Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્ય ચૂંટણી આયોગના નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક એ.ડી.ચૌહાણનું જિલ્લામાં આગમન.

Share

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આગામી તા.૧૯ મી ડિસેમ્બરના રોજ યોજાનારી નર્મદા જીલ્લામાં ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૧૧ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં સરળ રીતે નિષ્પક્ષ પણે યોજાય તે માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્રારા ગુજરાત વોટર સપ્લાઈ એન્ડ સેવરેઝ બોર્ડના ચીફ એડમિનીસ્ટ્રેટીવ એ.ડી.ચૌહાણની નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક તરીકે કરાયેલી નિમણૂંક સંદર્ભે ચૌહાણે રાજપીપલા ખાતે આવી પહોંચીને તેમનો ચૂંટણી નિરીક્ષક તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે.

નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક એ.ડી.ચૌહાણે રાજપીપલા ખાતે રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને અધિક નિવાસી કલેક્ટર એચ.કે.વ્યાસ તેમજ રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને પ્રાંત અધિકારી કે.ડી.ભગત સાથે સાંજે બેઠક યોજીને ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણી-૨૦૨૧ સાથે સંકળાયેલા અધિકારીઓની વિગત, ચૂંટણીલક્ષી સામગ્રી, મતદાન મથકોની વિગતો સહિત કાયદો અને વ્યવસ્થા જાળવણીની બાબતો અંગે જરૂરી વિચાર-વિમર્શ કરી આંકડાકીય વિગતો મેળવી હતી. નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક એ.ડી.ચૌહાણનો મો.નં. ૯૯૨૫૩૭૫૮૫૯ ઉપર સંપર્ક સાધી શકાશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા નર્મદા ચૂંટણી વિભાગ દ્વારા જણાવાયું છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ હેડ ક્વાર્ટરમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા

ProudOfGujarat

વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના પ્રથમ દિવસે ૨૯ હજારથી વધુ બાળકોને પોલીયોથી રક્ષીત કરાયા…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હવે નવા સરનામે કાર્યરત : જર્જરિત બિલ્ડીંગને કારણે કચેરીનું સ્થળાંતર, ઉદ્યોગ સાહસિકોને નવા સરનામે સંપર્ક કરવા અપીલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!