Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં ભારતીય સેના દિવસે સ્ટેટમાં ચાર પેઢીથી જોડાયેલા આર્મીમેનને યાદ કરાયા.

Share

આજે ભારતીય સેના દિવસ છે. 15 મી જાન્યુઆરી એટલે ભારતીય સેના દિવસ. આજના દિવસે 1948 માં આપણા પ્રથમ જનરલ કુરિયપ્પાએ આપણી સેના અંગ્રેજો પાસેથી લીધી હતી. રાજપીપલાના રાજવી પરિવાર સાથે ઘરોબો ધરાવે છે એવા નીકટના સદસ્ય ધીરુ મિસ્ત્રીએ આજના દિવસની યાદ આપાવતા જણાવ્યું હતું કે રિયાસાતી રાજવી સ્ટેટમા આર્મી રહી ચૂકેલ એકમાત્ર કર્નલ દિલીપસિંહજીની ચાર પેઢીએ આર્મીમાં સેવા આપી હતી.

રાજપીપળાના આ પરિવારની યાદ અપાવતા ધીરુ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તે રાજપીપલાની તે સમયની સ્ટેટ આર્મી અને હવે આપણી ભારતીય સેનામાં સેવા આપી છે. કર્નલ દિલીપસિંહજીના પિતાએ આર્મીમેન હતા. ત્યારપછી કર્નલ દિલીપસિંહજીને તેમનો પરિવાર પ્રેમથી દિલુદાદા તરીકે ઓળખે છે. પછીની પેઢીમાં એમના ત્રણ દીકરા મેજર જનરલ રણધીરસિંહજી લશ્કરના મોટા પદ પરથી નિવૃત્ત થયા હતા. રણધીરસિંહજીના બે ભાઈઓ યશોધરસિંહ અને ભરતસિંહ પણ આર્મીમાં હતા અને છેલ્લે ચોથું જનરેશનમાં રણધીરસિંહના દીકરા કર્નલ અભયસિંહ એ પણ આર્મીમાં સેવા આપી હતી. રાજપીપલા જયારે રિયાસતી રાજવી સ્ટેટ હતું ત્યારે રાજપીપલા સ્ટેટની અલગ આર્મી હતી. જેમાં ચાર પેઢીથી રાજવી પરિવાર આર્મીમા જોડાયેલ હતો જોડાયેલો છે.

Advertisement

રાજપીપલા સ્ટેટના મહારાજા ગંભીરસિંહના દીકરાના દીકરા સ્ટેટ આર્મીમાં જોડાયા હતા અને ચાર પેઢી સુધી આર્મીમાં કામ કરીને આર્મીમેન તરીકે જોડાયા હતા જે ખરેખર રાજપીપળાનું ગૌરવ ગણાય છે. આજે પણ રાજપીપલા ખાતે ગંભીરસિંહ પેલેસ રાજવી પરિવારની આર્મી મેનની કહાણીની યાદ અપાવે છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કોરોના સંક્રમણ મહિલાનું ડિલિવરી બાદ મોત.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના અવિધા ગામે આંબેડકર જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : શુકલતીર્થ ખાતે મકાનોમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!