Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : તિલકવાડાના શીરા ગામમા આવેલ પંડિત દીનદયાલ સરકાર માન્ય વ્યાજબી ભાવની અનાજના દુકાનદારની લુખ્ખી દાદાગીરી સામે ગ્રામજનોમાં રોષ.

Share

તિલકવાડા તાલુકાના શીરા ગામમા આવેલ પંડિત દીનદયાલ સરકાર માન્ય વ્યાજબી ભાવની અનાજના દૂકાનદાર મહેશભાઈ સામે એક વર્ષમા ત્રણવાર તિલકવાડા મામલતદારમા રજુઆત કરવા છતા કોઈ નકકર પગલા ભરવામા આવતા નથી. દૂકાનદારની ખુલ્લી દાદાગીરી સામે કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોમા રોષ ફેલાયો છે.

ગ્રામજનો જણાવે છે કે દૂકાન પર આવતા લાભાર્થી ગરીબ ગ્રહાક જોડે ગમે તેવી ભાષામા વાત કરે છે, મહિનામાં ચાર દિવસ દુકાન ખોલે છે. અનાજ ઓછો આપે છે, કેરોસીન આપતો નથી, કેરોસીનની દુકાન 11 વાગે દૂકાન ખોલે છે અને 12 વાગે દુકાન બંધ કરે છે. તિલકવાડા તાલુકાના શીરા, ગોધામ, કસુન્દર, ઇન્દ્રવરણાં ગામના લોકો આ દૂકાનદારથી હેરાન પરેશાન થઈ ગયા છે. આજુબાજુ ગામોમાથી અનાજ લેવા આવતા ગ્રાહકને બે કીલો અનાજ ઓછો આપતો હતો. સરકારનું અનાજ પૂરતું આપતો નથી. ગ્રાહકો સાથે વ્યવહાર સારો રાખતો નથી. આ અંગે 10 દિવસમા આ પ્રશ્નનું નિરાકરણ આવશે નહીં તો રસ્તા રોકો આંદોલનની ચીમકી પણ આપી છે.

Advertisement

માથા ભારે સંચાલક કે કોઈ જાગૃત નાગરીક દૂકાન પર દૂકાની વિગત માંગવા જાય તો દૂકાન પર અનાજ તોલનાર નોકરને આગળ કરીને જાતી વિરૂધ ફરીયાદ આપવાની ધમકી આપે છે. આજુબાજુ ગામના લોકો અનેક વાર તિલકવાડા મામલતદારને રજુઆત કરવા છતા કોઈ નક્કર પગલા ભરવામા કેમ આવતા નથી? અને આ દુકાનદારને કેમ છાવરે છે અને મામલતદાર, પુરવઠા અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી તેની સામે પગલાં કેમ લેતા નથી? દુકાનનો પરવાનો રદ કેમ થતો નથી? તે સવાલ લોકોમા ચર્ચાઈ રહ્યો છે. શું અધિકારીઑની આ દુકાનદાર સાથે કોઈ સાઠ ગાંઠ તો નથી ને? એવી લોક ચર્ચા પણ જોર શોરથી વહેતી થઈ છે. હમણાં જ નર્મદા જિલ્લામા સસ્તા એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમ હેઠળ છઠ્ઠા તબકકાનું મફત અનાજ વિતરણ કાર્યક્રમ વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાનમા ગ્રાહકોને મફત અનાજ આપી કુમ કુમ તિલક કરી ગ્રાહકનું સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે તિલકવાડા તાલુકામા આ દુકાનદાર ગ્રાહકોનું શોષણ કરતો હોય તો તેની સામે કડક પગલાં લઈ તાત્કાલિક અસરથી પરવાનો રદ કરવાની માંગ ઉઠી છે. રદ નહીં થાય તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.

દૂકાનદાર ખુલ્લી ધમકી આપતાં જણાવે છે કે થાય તે કરી લો, મારી પહોંચ ઉપર સુધી છે. આવી દાદાગીરી કરનાર દુકાનદાર સામે પગલાં લેવામા નિષ્ફ્ળ નીવડેલ અધિકારીઑ સામે ફિટકારની લાગણી ગ્રામજનોએ વરસાવી છે. એક વર્ષમા ત્રણ-ત્રણ વાર રજુઆત કરવા છતા જાડી ચામડીના સરકારી અધિકારીના પેટનું પાણી હાલતુ નથી અને કોઈ પગલા ભરતા નથી ત્યારે એવા અધિકારીઓની તત્કાલ બદલી કરવાની માંગ પણ ઉઠી છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ શહેરમાં લોકડાઉન વચ્ચે ફરતા લોકોને ડંડા પાઠ ભણાવતા પોલીસવાળા.

ProudOfGujarat

ભરૂચના સાંસદ અને વાગરાના ધારાસભ્ય દ્વારા કપાસની ખેતીમાં થયેલ નુકશાન બાબતે રજુઆત.

ProudOfGujarat

વિરમગામ : નળસરોવર, ઇંટોના ભઠ્ઠા, ખેતર, કન્સ્ટ્રકશન સાઇટ જેવા દુર્ગમ વિસ્તારોમાં પોલીયો રસીકરણ કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!