Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા મજૂરોને છાસ અને નાસ્તાનું વિતરણ કરાયું.

Share

નર્મદા જિલ્લા મા હાલ 42 ડિગ્રી ઊંચો તાપમાનનો પારો ચઢ્યો છે. જેમાં ધોમધખતા તાપમા કરતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે. હાલ નર્મદા સુગરના શેરડી કાપતા મજૂરો દ્વારા શેરડી કાપણીનું કામ ચાલી રહ્યું છે પણ તેમની આ કામગીરી સામે અસહ્ય ગરમી વિલન બનીને આડે આવી રહ્યો છે. આ વાત નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલના ધ્યાનમા આવતા માનવતાના નાતે મજૂરોમાટે શેરડી કાપવાનો સમય બદલી ઠંડા પહોરમાં વહેલી સવારે શેરડી કાપવાનુ અભિયાન શરૂ કર્યા મજૂરોને ગરમીમા રાહત મળી હતી. ત્યાર પછી ગરમીની સીઝનમા કામ કરતા મજૂરોના 10 જેટલાં જુદા જુદા વિસ્તારોમાં તેમની સાથે જાતે સ્થળ પર પહોંચી ગયા હતા. અને તેમના ખબર અંતર પૂછી 5000 થી વધુ વધુ ઠંડી છાસની તથા નાસ્તાનું વિતરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે છાસ ગરમીમાં અકસીર હોય છે. ગરમીમાં શરીરનું તાપમાન જાળવી રાખે છે. જમ્યા પછી છાસનું સેવન સ્વાસ્થ્ય માટે પણ સારુ હોય છે

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

પાલેજ હાઈસ્કૂલ ખાતે ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ દ્વારા CSR ગ્રાન્ટ હેઠળ રૂપિયા છ લાખ દસ હજારના વિવિધ સુવિધાના કાર્યો કરાયા

ProudOfGujarat

નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામમાં પ્રધાન આચાર્ય તરીકે કાર્યરત ડો. અમૃતલાલ ગૌરીશંકર ભોગાયતાને પુરસ્કાર અર્પણ કરાયા.

ProudOfGujarat

દહેજની GACL કંપનીના પ્લાન્ટમાં મુકેલા ઇન્સ્ટુમેન્ટ કેબલના ડ્રમમાંથી લાખોની મત્તાની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!