Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : તિલકવાડામાં પરણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકનાર પતિ અને સાસુ વિરુદ્ધ પરિણીતાએ મહિલા પો.સ્ટે.માં ફરિયાદ આપી છે.

Share

રાજપીપળા નર્મદા જીલ્લાના તિલકવાડામાં પરણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકનાર પતિ અને સાસુ વિરુદ્ધ પરિણીતા એ મહિલા પો.સ્ટે.માં ફરિયાદ આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા ખાતે પરણાવેલી કૈલાશબેન રમેશભાઈ પરમારને તેમનો પતિ રમેશભાઈ ભાઈલાલ પરમાર અને સાસુ નંદાબેન ભાઈલાલ પરમાર લગ્નને એક વર્ષ બાદ ત્રાસ આપતા હોય પતિ પોતે કંઇ કામ કરતા ન હોય દારૂ પી ઘરે જઇ પત્નીને “તારા મા-બાપે કંઇ આપ્યું નથી” તેમ કહી ગાળાગાળી કરી મારઝુડ કરતા  અને બાપના ઘરેથી કશુ લાવી નથી તેમ કહી તા.ર૯/૧૦/ર૦૧૯ ના રોજ સાસુ નંદાબેન પણ કૈલાશબેન પર ઉશ્કેરાઇ ઘરમાંથી બહાર નીકળી જવાનું કહી ગમે તેવી બીભત્સ ગાળો બોલી પતિએ તુ નોકરી કયા અને કેવી રીતે કરશે તેમ કહી ધમકી આપી શારિરીક તથા માનસિક ત્રાસ આપી પતિ અને સાસુએ એકબીજાની મદદગારી કરી ગુનો કરતા કૈલાશબેનની ફરિયાદના આધારે પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

પ્રખર સનાતની બાગેશ્વરધામના અધિપતિ ધીરેન્દ્ર શાસ્ત્રીને અંકલેશ્વર ગુરુકુલના જયસ્વરૂપ શાસ્ત્રીનું સમર્થન.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં કુલ કેટલો વરસાદ વરસ્યો જાણો.

ProudOfGujarat

ભરૂચના ટંકારીયા ગામેથી ગૌ માંસના જથ્થા સાથે 3 આરોપીને ઝડપી પાડતી પાલેજ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!