Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : બોરિદ્રા ગામે 75 જ્યોતની આરતી અને તિરંગા યાત્રા સાથે ભારતમાતા વંદન દિવસની ઉજવણી કરાઈ.

Share

હાલ 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે એક તરફ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં હર હર તિરંગા લગાવી ધ્વજ ફરકાવવાનો આ વાહન કરવામાં આવ્યું છે તો બીજી તરફ નર્મદા જિલ્લાના નામ તાલુકાના નાનકડા બોરીદ્રા ગામમાં પ્રાથમિક શાળાના આચાર્યો અને વિદ્યાર્થીઓ દ્વારા 75 જ્યોત ચલાવી ભારતમાતાની વંદના તિરંગા યાત્રા કડી ગામમાં દેશભક્તિનું વાતાવરણ ઊભું કર્યું છે. બોરીદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય અનિલ મકવાણાની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં તિરંગો લઈને વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારા સાથે ગામમાં દેશભક્તિના સૂત્રોચ્ચારો સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. 75 જેટલા દીવા મારફતે ભારત માતાની આરતી પણ ઉતારવામાં આવી હતી. અને ભારતમાતા વંદન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

દીપક જગતાપ,રાજપીપલા

Advertisement

Share

Related posts

વાઇપર સાપ પકડાતા ભયનો માહોલ સર્જાયો જાણો ક્યાં…???

ProudOfGujarat

ભરૂચ એ ડિવિઝન ખાતે એસ.પી ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં વાર્ષિક લોક દરબાર યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 21 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2199 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!