Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાની બંને વિધાનસભાની બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થતા કોણ જીતશે? કોણ હારશે? ના હાર જીતના સરવાળા બાદબાકીનું ગણિત અને ચિંતન શરૂ.

Share

ગઈકાલે નર્મદા જિલ્લાની બે વિધાનસભાની બેઠકો નાંદોદ અને ડેડીયાપાડા બેઠક ઉપર ચૂંટણી સંપન્ન થઈ હતી. આ નાંદોદ બેઠક ઉપર કોંગ્રેસ ભાજપ બીટીપી, અપક્ષ અને આપના ચાર ઉમેદવારો અને ડેડીયાપાડા બેઠક ઉપર પણ ભાજપ કોંગ્રેસ પીટીપી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.દરેક પક્ષોએ અને ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જેના અનુસંધાને નાંદોદ બેઠક ઉપર કુલ 2,35,179
મતદારો પૈકી 1,74,692 મતદારોએ 74.28% મતદાન કર્યું હતું. ત્યારે ડેડીયાપાડા પાડા બેઠક ઉપર 2,22,701 મતદારો પૈકી 1,83,267 મતદારોએ 82.29% વિક્રમ જનક મતદાન કર્યું હતું.

જોકે ચૂંટણી પત્યા પછી કેટલાક ઉમેદવારો, સમર્થકો, કાર્યકરો, મહિનાઓ સુધી દોડી દોડીને થાકી ગયા હોવાથી થાક ઉતારવામાં પડ્યા હતા. તો બીજી તરફ કોણ જીતશે? કોણ હારશે? કયા ઉમેદવારને કેટલા વોટ મળશે? કેટલા મતનો માર્જિન થશે? વગેરેનો હિસાબ લગાવવા બેસી ગયા હતા. હાલ તો ચોરને ચૌટે કોણ બને બનેગા એમએલએ ની ચર્ચા શરૂ છે. તો બીજી તરફ કેટલાક રાજકીય પક્ષોમાં હાર જીતના સરવાળા બાદબાકીનું ગણિત લગાવવા બેસી ગયા હતા. તો કેટલાક લોકો મતદારોને પૂછી રહ્યા હતા કે? તમને કેવું લાગે છે કોણ જીતશે? જેવા પ્રશ્નો કરી હાર જીતનો તાગ મેળવવાનો પ્રયાસ કરતા જણાતા હતા. જોકે મતદારોએ છેલ્લે સુધી પોતાનું મન કરાવવા દીધું નહોતું એ તો હવે આઠમી એ જ પરિણામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે કે કોણ બનેગા એમએલએ.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

પાટણ શહેરની વી.એમ દવે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર રોડ પર આવેલ SBI નાં ATM માં આગ ભભૂકી ઉઠતા દોડધામ…

ProudOfGujarat

ડેડીયાપાડાના ધારાસભ્યએ તૌકતે વાવાઝોડા અંતર્ગત થયેલ નુકશાનનું સર્વે કરી મદદ અર્થે મુખ્યમંત્રીને પત્ર લખ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!