Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મધમાખી પાલન અંગે જાગૃતતા શિબિર યોજાઈ.

Share

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે મધમાખી પાલન પર એક દિવસીય જાગૃતતા શિબિર યોજવામાં આવેલી હતી. ખાદી અને ગ્રામોદ્યોગ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર જગબિરસિંઘે અને કે.વિ.કે. ના વડા ડૉ. પી. ડી.વર્મા તેમજ ચીખલીના અગ્રણી ખેડૂત અશોકભાઈ હાજર રહ્યા હતાં. અશોકભાઈ કૂચી મધમાખીનું પાલન કેવી રીતે કરવું તેની માહિતી આપી તેમજ ડેમોનસ્ટ્રેશન કરીને બતાવ્યું હતું.

આ શિબિરમાં જુદા જુદા ગામમાંથી 100 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. અને બધા ખેડૂતોને એક – એક મધની બોટલ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. મીનાક્ષી તિવારી એ કર્યું હતું અને ખેડૂતોને મિલૅટ ખાવાનાં ફાયદા વિશે સમજાવ્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વલસાડમાં પેપરલીક મામલે વિરોધ પ્રદર્શન : રેલી બાદ શિક્ષણ મંત્રીના પુતળાનું કરાયું દહન..

ProudOfGujarat

નર્મદા જિલ્લાના તિલકવાડા ગુરુમુખી એજન્સીની છત્તીસગઢના સહ પ્રભારી નિરંજન વસાવા એ મુલાકાત લીઘી

ProudOfGujarat

માંગરોળમાં બહુજન ક્રાંતિ મોરચા ના નેજા હેઠળ મુસ્લિમ સમાજે CAA, NRC નો વિરોધ વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!