Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગરૂડેશ્વર તાલુકાનાં ગોરા ગામના સમગ્ર વિસ્તારને COVID-19 કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરતું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિદ્ધ કરેલું જાહેરનામુ.

Share

હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૩/૨૦૨૦ નાં જાહેરનામાંથી ધી એપેડેમીક ડીસીઝ એક્ટ – ૧૮૯૭ અન્વયે The Gujarat Epidemic Diseases Covid-19 Regulations – ૨૦૨૦ જાહેર કરેલ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામમાં COVID-19 નો એક પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.આર.કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સમગ્ર વિસ્તારને તા.૧૧/૦૫/૨૦૨૦ થી તા.૨૪ /૦૫/૨૦૨૦ COVID-19 Containment Area તરીકે જાહેર કરતું જાહેરનામુ પ્રસિદ્ધ કરીને ઉક્ત સમયગાળા દરમિયાન લોકોની અવરજવર ઉપર નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ – ૩૦ તથા કલમ – ૩૪ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ,૧૮૯૭, કલમ – ૨ અન્વયે મળેલ સત્તાની રૂએ પ્રતિબંધ ફરમાવ્યો છે. તદઅનુસાર ગોરા ગામના સમગ્ર વિસ્તારમાં એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર સરકારશ્રીની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન (SOP) મુજબ આરોગ્ય ટીમ દ્વારા ૧૦૦% થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગના નક્કી કરેલ પ્રોટોકોલ મુજબ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સેમ્પલિંગની કાર્યવાહી કરવાની રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે તથા એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ સિવાયના તમામ રસ્તા યોગ્ય બેરીકેડિંગ કરીને સંપૂર્ણ બંધ કરવાના રહેશે અને આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે. જેથી એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ સિવાયના અન્ય કોઈ પણ રસ્તેથી કોઈ પણ વ્યક્તિ કે વાહન પ્રવેશી ન શકે કે બહાર ન જઈ શકે. આરોગ્ય ટીમે તમામ વ્યક્તિ તથા વાહનોનો વિગતવાર રેકોર્ડ રાખવાનો રહેશે. આ વિસ્તારમાં બહારની કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકશે નહી તથા આ વિસ્તારના રહેવાસી કોઈ પણ વ્યક્તિ બહાર જઈ શકશે નહીં. આ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર આરોગ્ય ટીમ, આવશ્યક ચીજવસ્તુઓન જાળવી રાખવાની કામગીરી સંભાળતી ટીમ અને પોલીસ ટીમે કંટ્રોલ રૂમ ઉભો કરવાનો રહેશે અને 24*7 રાઉન્ડ ધ કલોક ત્યાંથી તમામ બાબતોનું નિયમન કરવાનું રહેશે. તદઉપરાંત તમામ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, કરીયાણું, ખાધ પદાર્થો તેમજ દવાઓ વિગેરેના પુરવઠો બહારથી જયારે આ વિસ્તારમાં પહોંચાડવાનો હોય ત્યારે ENTRY (પ્રવેશ) POINT પર અનલોડીંગ કરીને માત્ર હોમ ડિલીવરી વ્યવસ્થા મારફતે જ વિતરણ કરી શકશે. હોમ ડિલીવરી કરનાર વ્યક્તિએ સક્ષમ સત્તાધિકારી પાસેથી લેખિત પરવાનગી (પાસ/પરમીટ) મેળવી લેવાની રહેશે. આવશ્યક સેવાઓ(તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવશે. આ વિસ્તારના તમામ રહેવાસીઓ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરે તે સ્થાનિક વહીવટીતંત્રએ સુનિશ્ચિત કરવાનું રહેશે. ભારત સરકારશ્રીના Containment Area પ્લાનની ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. વધુમાં, મોજે ગોરા, તા.ગરૂડેશ્વર, જિ.નર્મદા ગામની ૩ કિ.મી.ની ત્રિજ્યામાં એટલે કે, બફર એરીયામાં આવતા નાના પીપરીયા, મોટા પીપરીયા અને વસંતપુરા ગામોની હદને સીલ કરવામાં આવે છે. બફર એરીયાના ગામોમાં આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આ માર્ગનો ઉપયોગ કરતી વખતે Social Distancing નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન દ્વિચક્રીય વાહન પર એક વ્યક્તિથી વધુ અને ત્રણ/ચાર ચક્રીય વાહનમાં બે વ્યક્તિથી વધુ વ્યક્તિઓ પ્રવાસ કરી શકશે નહીં.બફર એરીયામાં આવતા ગામોના વિસ્તાર માટે નીચે મુજબનો અપવાદ લાગુ પડશે. સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત),આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો,આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ / વિતરણ કરવા તંત્ર દ્વારા આપવામાં આવેલ પાસ ધારકોનો સમાવેશ થાય છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

મોન્ટુ
રાજપીપલા

Advertisement

Share

Related posts

ભાજપ શાસિત ભરૂચ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં વિવિધ 9 સમિતિની રચના સુપેરે સંપન્ન

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં સ્થાનિક યુવાનોને રોજગાર બાબતે અગ્રિમતા આપવા ક્ષત્રિય કરણી સેનાની માંગ

ProudOfGujarat

અંકલેશ્વર:શહેર પોલીસ સ્ટેશનમાં રમજાન મહિના ને ધ્યાનમાં લઈને શાંતિ સમારોહની મીટીંગ યોજાઇ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!