Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા રાજેન્દ્ર નગર સોસાયટીમાં વરસાદી પાણીનાં નિકાલની સમસ્યા બાબતે આખરે સાંસદનાં પત્રનાં અખબારી અહેવાલ બાદ પાલીકાની ટીમો કામે લાગી હતી.

Share

રાજપીપળા શહેરમાં ગંદકીની વારંવાર ફરિયાદો ઉઠવા પામી હોય એવા સમયે જ ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાનાં રાજપીપળા રાજેન્દ્ર નગર સોસાયટીનાં નિવાસ્થાનની આસપાસ પણ ઘણા લાંબા સમયથી વરસાદી પાણી ભરાઈ રહેતા ગંદકી થતી હોવાનો પત્ર ખુદ સાંસદે પાલીકાનાં ચીફ ઓફિસરને લખ્યો હોય જેનો અહેવાલ અખબારોમાં આવ્યા બાદ પાલીકાની ટિમો કામે લાગી અને યુદ્ધનાં ધોરણે કામગીરી શરૂ કરાઇ હતી.  કામ શરૂ કરતાં પહેલાં નિરીક્ષણ માટે નીકળેલી પાલીકા ટિમમાં ચીફ ઓફિસર જયેશ પટેલ સાથે ભાજપ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, ભાજપ યુવા મોરચાનાં જિલ્લા ઉપ પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, પાલીકાનાં ઈજનેર ભરત આહીર, હેમરાજસિંહ રાઠોડ સહિતનો કાફલો રાજેન્દ્ર નગર સોસાયટી ખાતે પહોંચી સમસ્યાનું નિરીક્ષણ કરી તાત્કાલિક કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. આમ સાંસદનાં પત્રની અસર થતા પાલીકા દ્વારા આ સોસાયટીમાં વર્ષોની સમસ્યાનો હવે અંત આવશે.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

ભરૂચ : કર્તવ્ય નિષ્ઠ શિક્ષકની બદલી રોકવા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મેદાનમાં…..જંબુસર તાલુકાનાં નહાર ગામના લોકોએ તંત્રને રજુઆત કરી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના પોલીસ સ્ટેશનના ત્રણ અલગ અલગ ગુનાના આરોપીને પકડી પાડતી નડિયાદ ટાઉન પોલીસ.

ProudOfGujarat

વડોદરા : બે મહિના પૂર્વે ચોરાયેલા દાગીનાની કારેલીબાગ પોલીસે ફરિયાદ નહીં નોંધી પરિવારને મેન્ટલ સાબિત કરવાનો પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!