Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા ખાતર કેન્દ્ર ખાતે ખેડૂતો યુરિયા ખાતર લેવા એક દિવસ અગાઉ આવી જાય છે છતાં પૂરતું ખાતર મળતું નથી.

Share

હાલ ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો પોતાના પાકની વાવણીમાં લાગી ચૂક્યા છે ત્યારે હાલ ખેડૂતોને ખાતરની ખાસ જરૂરિયાત રહે છે તેવામાં નર્મદા જિલ્લામા યુરિયા ખાતરની અછત હોવાની બૂમ ઉઠી છે. આજે ડેડીયાપાડા ખેડુત સહાય કેન્દ્ર ખાતે યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. લોક સરકાર દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ પરેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ડેડીયાપાડા ખેડૂત સહાય કેન્દ્ર ઉપર યુરિયા ખાતર લેવા માટે આજે સવારે લાંબી કતારો જોવા મળી હતી જે બાબત ધ્યાને આવતા તપાસ કરતા ખેડૂતો બે બે દિવસ અગાઉ ખાતર લેવા આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉપરાંત ખેડૂતોને પૂરતું ખાતર પણ મળતું નથી. એક તરફ લોકડાઉનનાં કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. ત્યારે હાલ ખેતીની સિઝન હોય ખેડૂતો બિયારણ કરી ફરી પોતાની આજીવિકા ઉભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ખાતરની અછતથી ખેડૂતોની હાલત કફોડી બની છે. આજે આ બાબતે લોકસરકારની એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં ફરિયાદ કરી છે. લોક સરકાર વિરોધ પક્ષ દ્વારા લોકોના પ્રશ્નોને વાંચા આપી સરકાર સુધી સમસ્યા પોહચડવાનું એક માધ્યમ છે જેમાં રજુઆત કરી છે. આ રજુઆત ઇ મેલ મારફતે જેતે સંબંધિત મંત્રાલયમાં જશે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

વડોદરામાં 4 ઈંચ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા..!

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં જાહેરનામા ભંગ અને માસ્ક ન પહેરનારા દંડાયા, અનેક લોકો સામે પોલીસે કરી કાર્યવાહી જાણો વધુ..!!

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનાં 19 કેસો ઉમેરાતાં કુલ આંકડો 400 પર પહોંચ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!