Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા માં સંતોષ ચાર રસ્તા પાસે પડેલા મોટા મોટાખાડા વાહન ચાલકો માટે જોખમી : તંત્ર તદ્દન લાપરવા

Share

રાજપીપળામાં સંતોષ ચાર રસ્તા પાસે પડેલા મોટા મોટાખાડા વાહન ચાલકો માટે જોખમી : તંત્ર તદ્દન લાપરવા

કાળા ઘોડાથી જકાતનાકા જતો માર્ગ પ્રથમ વરસાદ માંજ ધોવાઈ જાય છે છતાં આ માર્ગ સી સી નહિ બનાવતા વાાહન ચાલકો ને મુશ્કેલી

Advertisement

રાજપીપળા શહેર માં માર્ગ અને મકાન વિભાગ ની હદ માં આવતા કેટલાક માર્ગ દર વર્ષની જેમ આ ચોમાસા ની શરૂઆત માંજ ધોવાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે જેમાં ખાસ કરીને દર વર્ષે સંતોષ ચાર રસ્તા પાસેના માર્ગ પર વરસાદ પડતાજ મોટા ખાડા પડી જતા હોય આ ખાડા માં પાણી ભરાય છે. જેના કારણે વાહન ચાલકો ખાડા માં પટકાઈ છે અને તંત્ર ની લાપરવાહીના કારણે અકસ્માત થતા લોકો ઇજા પામે છે છતાં વર્ષો થી આ સમસ્યા નું કોઈ કાયમી નિરાકરણ લવાતું નથી ત્યારે વડીયા જકાતનાકા થી કાળા ઘોડા સુધી નો માર્ગ જો ડામર ની જગ્યા એ સી.સી રોડ બનાવાય તો આ કાયમી તકલીફ નો અંત આવે એમ લોકો નું માનવું છે પરંતુ દર ચોમાસા માં પડતા ભુવા ઉપર માટી અને ત્યારબાદ મેટલ નાખી ડામર પાથરતું તંત્ર દર વર્ષે મરામત પાછળ ખોટો ખર્ચ કરે છે.માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ આ માર્ગ નું કાયમી નિરાકરણ આવે એ માટે ક્યારે પગલાં લેશે એ જોવું રહ્યું.

આરીફ કુરેશી:- રાજપીપળા


Share

Related posts

ભરૂચના સેગવા ગામ ખાતે નવનિર્મિત કોમ્યુનિટી હૉલ તેમજ સાર્વજનિક દવાખાનાનો પાયાવિધી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના આંબેડકર ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગની કામગીરીને લઈને આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!